મમતા બેનર્જીનો આરોપ, BJPના કહેવાથી બંગાળમાં 8 તબક્કામાં મતદાન રખાયું

|

Feb 26, 2021 | 8:50 PM

Election 2021: પશ્ચિમ બંગાળમાં હંમેશાં ઘણા તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવે છે. 2016ની વિધાનસભાની ચૂંટણી પણ 7 તબક્કામાં યોજાઈ હતી.

મમતા બેનર્જીનો આરોપ, BJPના કહેવાથી બંગાળમાં 8 તબક્કામાં મતદાન રખાયું
Mamata Banerjee (File Image)

Follow us on

Election 2021: પશ્ચિમ બંગાળમાં હંમેશાં ઘણા તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવે છે. 2016ની વિધાનસભાની ચૂંટણી પણ 7 તબક્કામાં યોજાઈ હતી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2021(West Bengal Assembly Election 2021)માં ચૂંટણીપંચે 8 તબક્કામાં મતદાનની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આ અંગે વાંધો ઉઠાવ્યો છે.

 

તેમણે કહ્યું કે આસામમાં માત્ર 3 રાઉન્ડમાં જ મતદાન થશે. આ સિવાય ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થશે. આ વાત યોગ્ય નથી. મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પંચે એક જ જિલ્લામાં બે કે ત્રણ રાઉન્ડમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. ભાજપે તેમને જે કહ્યું છે તે થઈ ગયું છે. મમતા બેનર્જીએ કહ્યું કે અન્ય રાજ્યોની જેમ પશ્ચિમ બંગાળમાં પણ સમાન ગણતરીમાં કેમ મતદાનનું આયોજન કરવામાં નથી આવ્યું. મમતા બેનર્જીએ પૂછ્યું કે એક જ જિલ્લામાં 2 અથવા 3 તબક્કામાં કેમ મતદાન રાખવામાં આવ્યું છે.

 

મમતા બેનર્જીએ કહ્યું કે અમે 25 દક્ષિણ પરગનામાં મજબૂત છીએ અને તેથી જ ત્રણ રાઉન્ડમાં જાણી જોઈને મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન મમતા બેનર્જીએ બંગાળ કાર્ડ રમતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ફક્ત એક બંગાળી શાસન કરશે. 

 

આ પણ વાંચો: Vadodaraના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી કર્યો બફાટ, આચારસંહિતાને નહીં માનતો હોવાનો દેખાડ્યો દમ

Next Article