શિવસેના ઇન્ટરનેશનલ એરપોર્ટ નામકરણ અંગે અડગ
મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનની પાર્ટી શિવસેના (ShivSena) નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) ના નામકરણ અંગે પોતાના નિર્ણય પર અડગ છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આ ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્વર્ગીય બાલાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) નું નામ આપવા માંગે છે. જો કે શિવસેનાના આ નિર્ણયનો વિરોધ વિપક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે મહારાષ્ટ્રમાં સરકારનો ભાગ રહેલી NCP પણ કરી રહી છે.
BJP સાથે NCP એ પણ શિવસેનાનો વિરોધ કર્યો
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) ના નામકરણ અંગે શિવસેનાના નિર્ણયનો ભાજપે અને એનસીપીએ વિરોધ કર્યો છે.
સ્થાનિક ધારાસભ્ય પ્રશાંત ઠાકુર ભાજપની ટિકિટ પર ચૂંટાયા હોવાથી ભાજપે પણ આ વિવાદમાં કૂદકો લગાવ્યો છે.પ્રશાંત ઠાકુરે કહ્યું કે એરપોર્ટની નામકરણની સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં શિવેસનાએ તેમને પૂછ્યા વગર જ આ નિર્ણય લીધો છે.
આ મામલે એનસીપી વતી મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબલે પણ હસ્તક્ષેપ કર્યો છે. ભુજબલ કહે છે કે બાલાસાહેબ ખુદ ઇચ્છતા હતા કે આ એરપોર્ટનું નામ જેઆરડી ટાટાના નામ પર રાખવું જોઈએ. ટાટાને ભારતમાં હવાઈ સેવાના જનક માનવામાં આવે છે.
થાણે અને રાયગઢમાં પણ શિવેસનાનો વિરોધ
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) ના નામકરણ અંગે શિવસેનાના નિર્ણયનો વિરોધ થાણે અને રાયગઢ જિલ્લાના સ્થાનિકો પણ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે એરપોર્ટનું નામ સ્થાનિક રાજકારણી અને સામાજિક કાર્યકર દિવંગત ડીબી પાટીલ (DB PATIL) ના નામ પર હોવું જોઈએ. નવી મુંબઈ શહેર બનતી વખતે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી છે ત્યારે પાટીલે ભારે આંદોલન કર્યું હતું. આ ક્ષેત્રમાં તેમનું નામ ખૂબ જ આદર સાથે લેવામાં આવે છે.