Delhi Budget 2021 : દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે રાજધાની દિલ્હીનું વર્ષ 2021-22નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. Delhi ના નાણામંત્રી મનીષ સિસોદિયાએ ગૃહમાં પહેલીવાર ઇ-બજેટ રજૂ કર્યું. તેમણે આ વર્ષે 69 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ હેઠળ હવે દિલ્હીમાં 500 જગ્યાએ ત્રિરંગો લગાવવામાં આવશે.
આ બજેટમાં મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ કનોટ પેલેસની જેમ દિલ્હીમાં પણ 500 સ્થળો પર ત્રિરંગો લગાવવામાં આવશે. આ માટે 45 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે, દિલ્હીની શાળાઓમાં એક વર્ગ દેશભક્તિ વિશે પણ હશે. તેમણે કહ્યું કે અમે દરેક વિદ્યાર્થીઓને કટ્ટર દેશભક્ત તરીકે તૈયાર કરીશું. જેથી તે નિયમોનું કડક પાલન કરે.
બજેટની જાહેરાત દરમ્યાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે દિલ્હીની સૈનિક સ્કૂલ દિલ્હી સશસ્ત્ર દળની પ્રારંભિક એકેડેમી સાથે હશે. જ્યાં વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ ઉપરાંત એનડીએ કોચિંગથી પણ પરિચિત થશે. આ સિવાય મનીષ સિસોદિયાએ કહ્યું કે દેશમાં દેશભક્તિના કાર્યક્રમો 12 માર્ચથી દિલ્હીમાં શરૂ થશે. જે આગળના વિઝનને પ્રતિબિંબિત કરશે. ભગતસિંહના જીવન સાથે જોડાયેલી ઘટનાઓ પ્રદર્શિત કરવા માટે 10 કરોડની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત બાબા સાહેબ આંબેડકરના નામે યોજાનારા કાર્યક્રમો માટે દસ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી.