કોરોના મહામારી વચ્ચે પેટાચૂંટણીનો જંગ આખરી પડાવમાં પહોંચ્યો છે, ત્યારે ડાંગ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. અહીં ભાજપ જીત માટે મથામણ કરી રહ્યું છે, તો કોંગ્રેસ પોતાનો ગઢ જાળવી રાખવા મહેનત કરી રહ્યું છે. જોકે સત્તાના સમીકરણોની જો વાત કરીએ તો, આદિવાસી મતદારો ધરાવતી આ બેઠક પર રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે. આદિવાસીઓ માટે રોજગારીનું એકમાત્ર સાધન સુગર ફેક્ટરીઓ છે, ત્યારે રાજકિય પક્ષોના ઉમેદવારો માટે રોજગારીનો પ્રશ્ન કોઇ પડકારથી કમ નથી. 1.87 લાખ મતદારો ધરાવતી આ બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે. જોકે ભાજપે વિજય પટેલને ટિકિટ આપી તો, કોંગ્રેસે આદિવાસી મતોનું ધ્રુવિકરણ કરવા સુર્યકાંત ગાવીતને મેદાને ઉતાર્યા છે. ખ્રિસ્તી મતદારો પર બંને રાજકિય પક્ષોનું ભાવિ ટકેલું છે, ત્યારે રાજકિય નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે, જે પક્ષને ખ્રિસ્તી મતદારો મત આપશે તેની જીત નિશ્ચિંત થશે.
આ પણ વાંચો: અમદાવાદઃ ડમ્પર ચાલકની બેદરકારીથી ગોતા બ્રિજ સાથે ધડાકાભેર અથડાયું ડમ્પર, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો