Covid 19 Update: UPનાં CM યોગી આદિત્યનાથ પણ થયા કોરોના પોઝીટીવ, ટ્વીટ કરીને આપી જાણકારી

|

Apr 14, 2021 | 2:40 PM

Covid 19 Update: ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ કોરોના પોઝીટીવ થયા છે. આ વાતની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી. જણાવી દઈએ કે આ પહેલા પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે.

Covid 19 Update: UPનાં CM યોગી આદિત્યનાથ પણ થયા કોરોના પોઝીટીવ, ટ્વીટ કરીને આપી જાણકારી
Covid 19 Update: UPનાં CM યોગી આદિત્યનાથ પણ થયા કોરોના પોઝીટીવ

Follow us on

Covid 19 Update: ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ કોરોના પોઝીટીવ થયા છે. આ વાતની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી. જણાવી દઈએ કે આ પહેલા પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે શરૂઆતમાં લક્ષણ દેખાયા બાદ મે કોવીડની તપાસ કરી લીધી કે જેમાં મારો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવી હતી. હાલમાં હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને તજજ્ઞો સાથે વાતચીત કરીને તબીબોએ આપેલી સલાહનું ચુસ્ત પાલન કરી રહ્યો છું.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અખિલેશ યાદવ પણ કોરોના પોઝીટીવ

સપાનાં અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાજવ પણ કોરોના પોઝીટીવ થઈ ગયા છે અને તેમણે ટ્વીટ કરીને જ માહિતિ આપી હતી કે તેમને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ઘર પર જ તેમનો ઉપચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે જે લોકો તેમનાં સંપર્કમાં આવ્યા હોય તે તેમનો રીપોર્ટ કઢાવી લે.

 

 

આઈસોલેટ છે સીએમ

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારથીજ તેમને આઈસોલેટ કરી લીધા હતા. તે સમગ્ર કામકાજ હમણા પોતાનાં ઘરેથી વર્ચ્યુઅલી જ કરી રહ્યા છે. કોરોના પર થતી રોજની મિટીંગ 11ની બેઠકને પણ તેમણે વર્ચ્યુઅલી જ સંબોધી હતી. આદિત્યનાથે  મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમનાં કાર્યાલયનાં અમુક અધિકારી કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે અને તેમના સંપર્કમાં હોવાને લઈને તે પણ આઈસોલેટ થઈ ગયા છે.

કોરોના સંક્રમણનાં મામલામાં દેશમાં બીજા નંબર પર યૂપી

કોરોના સંક્રમણનાં મામલમાં યૂપી હવે દેશમાં બીજા નંબર પર પહોચી ગયું છે. આંકડાઓ પ્રમાણે ઉત્તરપ્રદેશમાં રોજ આવનારા અને કન્ફર્મ થઈ રહેલા કેસ પાછલા મહિનાની સરખામણીએ 204% વધી ગયા છે. મંગળવારે અહીંયા એક જ દિવસમાં 18021 નવા કેસ રિપોર્ટ થયા. 24 કલાકમાં 85 કોવીડ દર્દીઓનાં મોત થયા છે.

 

Next Article