ભડકાઉ ભાષણથી હિંસા ફેલાવનારાની સામે FIR દાખલ કરવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ

|

Feb 26, 2020 | 11:23 AM

દિલ્હી હિંસાને પહોંચી વળવા અને શાંતિ બહાલ થાય તે માટે પોલીસ હરકતમાં આવી છે. સરકારે પણ નોર્થ ઈસ્ટ વિસ્તારમાં દેખો ત્યાં ઠારના આદેશ આપ્યા છે અને તેના લીધે દિલ્હીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી છે. આ ઉપરાંત કોર્ટ સુધી દિલ્હી હિંસાનો મુદો પહોંચ્યો છે અને દિલ્હી હાઈકોર્ટે ભાજપના નેતા કપિલ મિશ્રાએ ભડકાઉ ભાષણ આપ્યું ત્યારે તેની સાથે […]

ભડકાઉ ભાષણથી હિંસા ફેલાવનારાની સામે FIR દાખલ કરવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ

Follow us on

દિલ્હી હિંસાને પહોંચી વળવા અને શાંતિ બહાલ થાય તે માટે પોલીસ હરકતમાં આવી છે. સરકારે પણ નોર્થ ઈસ્ટ વિસ્તારમાં દેખો ત્યાં ઠારના આદેશ આપ્યા છે અને તેના લીધે દિલ્હીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી છે. આ ઉપરાંત કોર્ટ સુધી દિલ્હી હિંસાનો મુદો પહોંચ્યો છે અને દિલ્હી હાઈકોર્ટે ભાજપના નેતા કપિલ મિશ્રાએ ભડકાઉ ભાષણ આપ્યું ત્યારે તેની સાથે ક્યાં પોલીસ અધિકારી હાજર હતાં તેની વિગત માગી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :   દિલ્હી હિંસા પર સોનિયા ગાંધીના 5 સવાલ! દિલ્હી સળગી રહ્યું હતું ત્યારે અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ ક્યાં હતા?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત દિલ્હી હિંસાને પગલે 5 આઈપીએસની બદલી કરવામાં આવી છે. આ હિંસામાં અત્યારસુધીમાં 22 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે તેમાં 56થી વધારે પોલીસના જવાનો ઘાયલ થયા છે. આ ઉપરાંત જોવા જઈએ તો એક આઈબી ઓફિસરની હત્યાની ખબર સામે આવી રહી છે. હેડ કોન્સ્ટેબલનું પણ મોત નીપજ્યું છે. ભારે હિંસાને કાબૂમાં લેવા માટે ગૃહ મંત્રાલય હરકતમાં છે તો દિલ્હી કોર્ટ પણ સરકારની સામે સવાલ ઉભા કરી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બુધવારના રોજ નાગરિકતા કાયદાનો વિરોધ કરનારા પ્રદર્શનકારીઓને પણ હટાવવામાં આવ્યા છે. જેમાં શાહીનબાગથી ઢબે ચાલતાં જાફરાબાદ અને ખુરેજીના વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે. દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીને વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને વિશ્વાસમાં લેવા અપીલ કરી છે. ઘાયલ લોકોની સંખ્યાનો કુલ આંકડો 200ને પાર થઈ ગયો છે. દિલ્હી હાઈકોર્ટે આ મુદે સુનાવણી કરતાં કહ્યું કે જેને પણ ભડકાઉ ભાષણ આપ્યું તેની સામે ફરિયાદ દાખલ કરો. વીડિયોના આધારે ફરિયાદ દાખલ કરવા સરકારને કોર્ટે કહ્યું છે. કપિલ મિશ્રાના ભાષણ બાદ વિવાદ સામે આવ્યો હતો અને તેમની પર કાર્યવાહી થવી જોઈએ તેવી માગણી પણ ઉઠી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article