કોરોના વાઈરસના લીધે દિલ્હીમાં સ્થિતિ વધારે ન બગડે તે માટે કેજરીવાલ સરકારે પગલાં લીધા છે. દિલ્હી સરકારે કોરોનાને મહામારી જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાઈરસના ફેલાય તે માટે તમામ સિનેમા હોલ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જે પણ સ્કૂલોમાં કોઈપણ પરીક્ષા નથી ચાલી રહી તે બંધ રહેશે તેવો આદેશ દિલ્હી સરકારે આપ્યો છે.
આ પણ વાંચો : કોરોનાના લીધે મુકેશ અંબાણી નથી રહ્યાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ, કરોડો રુપિયાનું નુકસાન
કેજરીવાલે કહ્યું કે દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રૂવમેન્ટ બોર્ડના તમામ ખાલી ફ્લેટ અને નિર્માધણીન હોસ્પિટલને તૈયાર રાખવામાં આવી છે. તેઓએ કહ્યું કે આઈસોલેશનની સુવિધા માટે દિલ્હી સરકારની પાસે પર્યાપ્ત બેડ ઉપલબ્ધ છે. આ નિર્ણય વાઈરસનો પ્રસાર ન થાય તે માટે દિલ્હીના ઉપરાજ્યપાલની સાથેની મુલાકાત બાદ લેવાયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:06 pm, Thu, 12 March 20