ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અહેમદ પટેલે ટવીટ કરીને, કોરોના પોઝીટીવ હોવા અંગેની જાણ કરી. ટવીટમાં કહ્યું કે, જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તેઓને સાવચેતીરૂપે ક્વોરોન્ટાઈન થવા અપિલ કરી છે.
ગુજરાતમાંથી ચૂંટાયા હોય તેવા સસંદ સભ્યોમાં ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહ, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો કિરીટ સોલંકી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોનાગ્રસ્ત થઇ ચુક્યા છે. તો બીજી બાજુ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિસ સોલંકી અને શંકરસિહ વાઘેલાને પણ કોરોના થઇ ચૂક્યો છે.
ધારાસભ્યો ભાજપના કિશોર ચૌહાણ, પૂર્ણેશ મોદી, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, મધુ શ્રીવાસ્તવ, કનુ પટેલ અને મંત્રી રમણ પાટકર, જયેશ રાદડીયા સહીતના ધારાસભ્યો કોરોનાનો ભોગ બન્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરાડી, નાથાભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, અમરીશ ડેર, પુનાભાઈ ગામિત, વિરજી ઠુમ્મર અને ગેનીબેન ઠાકોરને કોરોના થયો હતો.
આ પણ વાંચોઃલોકડાઉન દરમિયાન રદ કરાવેલી ફ્લાઈટની ટિકિટના નાંણા તાત્કાલિક ચૂકવવા સુપ્રિમનો આદેશ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો