મધ્યપ્રદેશના રાજ પરિવારથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટી એટલે કે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો આપ્યો છે. મુખ્યપ્રધાન કમલનાથથી નારાજ ચાલી રહેલા સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સિંધિયાએ ટ્વીટ કરીને રાજીનામાંની જાણકારી આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પહેલા સિંધિયા દિલ્હીમાં સવારે પોતાના નિવાસસ્થાનેથી નીકળી સીધા ગૃહપ્રધાન અમિત શાહને મળવા પહોંચ્યા અને ત્યારબાદ શાહની સાથે જ તે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને પહોંચી ગયા. લગભગ 1 કલાક સુધી વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની વચ્ચે બેઠક ચાલી હતી અને બેઠક બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: અમદાવાદ: છારાનગરમાં દુષ્કર્મ બાદ સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે આરોપીની કરી ધરપકડ
Published On - 7:18 am, Tue, 10 March 20