લોકસભાની શરૂઆત ઘૂસણખોરના નિવેદન અને તેના વિરોધમાં થઈ હતી. જો કે, આજે સૌથી મોટો મુદ્દો કરવેરા કાયદા(સુધારો) બિલ 2019ને લઈને રહ્યો છે. લોકસભામાં આ બિલ પસાર કરી લેવાયું છે. બિલનો હેતુ વિદેશી મૂડીના રોકાણને આકર્ષવાનું છે. જેના માટે સરકારે ઉત્પાદન ક્ષેત્રમાં કોર્પોરેટ ટેક્સનો બેઝ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે […]
Follow us on
લોકસભાની શરૂઆત ઘૂસણખોરના નિવેદન અને તેના વિરોધમાં થઈ હતી. જો કે, આજે સૌથી મોટો મુદ્દો કરવેરા કાયદા(સુધારો) બિલ 2019ને લઈને રહ્યો છે. લોકસભામાં આ બિલ પસાર કરી લેવાયું છે. બિલનો હેતુ વિદેશી મૂડીના રોકાણને આકર્ષવાનું છે. જેના માટે સરકારે ઉત્પાદન ક્ષેત્રમાં કોર્પોરેટ ટેક્સનો બેઝ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બિલ રજૂ કરતા પહેલા સાંસદોના સવાલોનો જવાબ આપ્યા હતા. જો કે, કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણને નિર્બલા સીતારમણ કરીને સંબોધન કરતા વધુ એક વિવાદ વકર્યો હતો.