રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પર એક નિવેદનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી હનુમંત રાવે નોંધાવી છે. ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
મોહન ભાગવતે એક કાર્યક્રમ એવું નિવેદન આપ્યું હતું કે દેશના 130 કરોડ ભારતીય હિંદુ છે. ટૂંકમાં દેશની 130 કરોડ જનતાને તેઓએ હિંદુ ગણાવી હતી. આ બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપની સહયોગી પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠ્ઠાવલેએ પણ આ નિવેદનથી અસહમતિ દર્શાવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સંઘ ભારતની 130 કરોડ જનતાને ધર્મ અને સંસ્કૃતિથી હિંદુ સમાજ માને છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મોહન ભાગવતે 25 ડિસેમ્બરના રોજ આ નિવેદન એક જનસભામાં આપ્યું હતું. જેને લઈને ફરિયાદ કોંગ્રેસના નેતા દ્વારા દાખલ કરવામાં આવી છે.