CAA કાયદાને લઈને ભારતમાં ભાજપ કોઈપણ રીતે ઝુકવા માટે તૈયાર નથી. જો કે દેશભરમાં આ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. ખાસ કરીને જ્યાં જ્યાં પણ ભાજપની સરકાર નથી ત્યાં આ કાયદાને લઈને ખાસ વિરોધ જોવા મળી રહ્યો છે અને તે રાજ્યો આ કાયદાને લાગુ કરવાનો ઈનકાર કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર આ ઈનકાર સામે દલીલ આપી રહી છે કે દેશના સંવિધાન મુજબ નાગરિકતા એ કેન્દ્રની સૂચીનો વિષય છે અને લોકસભામાં પારિત થયેલાં કેન્દ્રની સૂચિના કાયદાને લઈને કોઈપણ રાજ્યને ઈનકાર કરવાનો અધિકાર જ નથી.
આ પણ વાંચો : એન્જીનિયર છત્રપાલસિંહ સોલંકીએ બંદૂકના સહારે કરી લૂંટ, જાણો કયા પૂસ્તકમાંથી આવ્યો વિચાર
આ ઘટનાઓ ચાલી રહી છે ત્યારે કાયદાને લઈને મમતા બેનર્જી પણ નિવેદનો આપી રહ્યાં છે. મમતા બેનર્જીએ આ કાયદાના વિરોધમાં મોટી રેલીઓ પણ કાઢી ચૂક્યાં છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના ચીફ દિલીપ ઘોષે એક ટિપ્પણી કરી છે અને તેના લીધે ફરીથી રાજકારણ ગરમાયું છે. દિલીપ ઘોષે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં વસતા ગેરકાયદેસર 1 કરોડ બાંગ્લાદેશીઓને સરકાર પરત મોકલશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ સિવાય તેઓએ કહ્યું કે જે પણ લોકો વિરોધ કરી રહ્યાં છે. તે બંગાળી નથી, સીએએનો વિરોધ કરનારા ભારતના વિચારના વિરોધી છે. રાજ્યમાં 1 કરોડ ગેરકાયદેસર મુસ્લિમો સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલાં સબસીડી આધારિત ચોખા પર જીવી રહ્યાં છે. અમે તેને પરત મોકલીશું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]
Published On - 6:43 pm, Sun, 19 January 20