Coal Scam: અભિષેક બેનર્જીની પત્નીને બે વાર મોકલાઈ નોટિસ, CBI કરશે પુછપરછ

|

Feb 22, 2021 | 10:22 AM

ગયા વર્ષે નવેમ્બરમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર કોયલની દાણચોરીનો મોટો ખુલાસો થયો હતો. સીબીઆઈને આ કેસની તપાસમાં કેટલીક માહિતી મળી હતી, જેમાં અભિષેક બેનર્જીની પત્ની રુજિરા અને સાળી નામ પણ સામે આવ્યું હતું.

Coal Scam: અભિષેક બેનર્જીની પત્નીને બે વાર મોકલાઈ નોટિસ, CBI કરશે પુછપરછ
કોલસા કૌભાંડ

Follow us on

Coal Scam: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા સાંસદ અભિષેક બેનર્જી અને તેની પત્નીને સીબીઆઈએ નોટિસ આપી છે. નોટિસ આપ્યા બાદ રાજકારણ ગરમાયું છે. કોલસા કૌભાંડમાં (Coal Scam) અભિષેક બેનર્જીની પત્ની રૂજીરા નરુલાને બ વખત સીબીઆઈએ નોટિસ પાઠવી છે.

એટલું જ નહીં સીબીઆઈએ ​​રુજિલાની બહેન મેનકાને પૂછપરછ માટે પણ બોલાવી છે. સીબીઆઈ દ્વારા અપાયેલા સમન્સ બાદ અભિષેક બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેઓ આવી નોટિસથી ડરતા નથી. તેણે કહ્યું કે ભાજપ સત્તામાં આવવા માટે તમામ પ્રકારની રણનીતિઓ અપનાવી રહ્યું છે પરંતુ બંગાળની જનતા તેમની સાથે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જણાવી દઈએ કે સીબીઆઈ રવિવારે અભિષેક બેનર્જીના ઘરે પહોંચી હતી. પરંતુ તે સમયે રૂજિરા કે માણેકા હાજર ન હતા. તેથી જ ગઈકાલે સીબીઆઈ રુજીરાની પૂછપરછ કરી શકી નહોતી. અહેવાલ અનુસાર સીબીઆઈ ફરી એકવાર અભિષેક બેનર્જીના ઘરે જઈ શકે છે. કોલસા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા પત્ની રુજીરાને અપાયેલા સમન્સથી નારાજ અભિષેક બેનર્જીએ ટ્વિટ કર્યું હતું કે, આજે બપોરના બે વાગ્યે સીબીઆઈએ મારી પત્નીના નામ પર નોટિસ આપી છે. અમને દેશના કાયદા પર પૂરો વિશ્વાસ છે. જેને પણ એવું લાગે છે કે તેઓ આ પેંતરો અમને રોકવા અને હેરાન કરવા ઉપયોગ કરી શકે છે. તો તે તેમની ભૂલ છે. અમે એ નથી જે નમી જશે.

 

 

જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર કોયલની દાણચોરીનો મોટો ખુલાસો થયો હતો. આ કેસમાં ધરપકડ થયેલ ઇનામુલ હકના તાર યુથ ટીએમસીના નેતા વિનય મિશ્રા સુધી પહોંચ્યા હતા. વિનય મિશ્રાને એક પરિપત્ર સૂચના આપવામાં આવી હતી પરંતુ તે લાંબા સમયથી ફરાર છે. વિનય મિશ્રા અભિષેક બેનર્જીની ખૂબ નજીકનો છે. સીબીઆઈને આ કેસની તપાસમાં કેટલીક માહિતી મળી હતી, જેમાં અભિષેક બેનર્જીની પત્ની રુજિરા અને સાળી નામ પણ સામે આવ્યું હતું. સીબીઆઈના જણાવ્યા અનુસાર રુજિરા અને માનેકાના ખાતામાં કેટલીક શંકાસ્પદ લેનદેણ છે, જેના વિશે સીબીઆઈ માહિતી મેળવવા માંગે છે.

કોલસા કૌભાંડ મામલે સીબીઆઈ સતત પાડી રહી છે દરોડા

જણાવી દઈએ કે ગેરકાયદેસર ખનન અને કોલસાની દાણચોરીના કેસમાં સીબીઆઈ સતત દરોડા પાડી રહી છે. આ કેસમાં જયદેવ મંડળ અને લાંબા સમયથી ફરાર કોલસા માફિયા અનૂપ માજી ઉર્ફે લાલાના ઠેકાણાઓ પણ થોડા દિવસો પહેલા સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ કોલકાતા, પુરૂલિયા, પાસચિમ બર્ધમાન અને બાંકુરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સીબીઆઈએ દરોડાની કાર્યવાહી દરમિયાન માંડલ, માજી અને અમિયા સ્ટીલ નામની કંપનીના પરિસરમાં તપાસ કરી હતી. અગાઉ સીબીઆઈએ થોડા દિવસો પહેલા કોલસાની દાણચોરીના કેસમાં વેપારી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા વિનય મિશ્રા, ઉદ્યોગપતિ અમિત સિંહ અને નીરજ સિંહના ત્રણ મકાનો પર દરોડા પાડ્યા હતા.

Next Article