ભાજપના નેતાઓને રેલી માટે પરવાનગી ન મળતાં, મમતાના ગઢમાં પહોંચવા CM યોગીએ અપનાવ્યો ‘પ્લાન B’

મમતાના ગઢમાં ભાજપના નેતાઓની ખેંચતાણ ઉગ્ર બની રહ્યું છે. આ માટે એક પછી એક નેતાઓ સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પુરુલિયામાં રેલી કરવાની મંજૂરી ન મળવા છતાં પણ રેલી કરવાની ચીમકી આપી છે.  પુરુલિયા એસપીએ કહ્યું કે, જો યોગી આદિત્યનાથ રેલી કરશે તો, તેમના પર કાયદેસરની કાર્યવાહી […]

ભાજપના નેતાઓને રેલી માટે પરવાનગી ન મળતાં, મમતાના ગઢમાં પહોંચવા CM યોગીએ અપનાવ્યો 'પ્લાન B'
Follow Us:
| Updated on: Feb 05, 2019 | 10:58 AM

મમતાના ગઢમાં ભાજપના નેતાઓની ખેંચતાણ ઉગ્ર બની રહ્યું છે. આ માટે એક પછી એક નેતાઓ સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પુરુલિયામાં રેલી કરવાની મંજૂરી ન મળવા છતાં પણ રેલી કરવાની ચીમકી આપી છે.  પુરુલિયા એસપીએ કહ્યું કે, જો યોગી આદિત્યનાથ રેલી કરશે તો, તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલાં ભાજપના નેતા શાહનવાઝ હુસૈન અને મ.પ્રના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને પણ પ. બંગાળ સરકારે રેલી કરવાની મંજૂરી આપી ન હતી. હુસૈન મુર્શિદાબાદ અને શિવરાજસિંહ બહેરામપુરમાં રેલી કરવા માગતા હતાં. તો બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે, તેમણે યોગીની રેલી પર કોઈ પ્રતિબંધ નથી મુક્યો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આજે પશ્ચિમ બંગાળના પુરુલિયા અને બાકુરામાં યોગી આદિત્યનાથ જનસભાને સંબોધિત કરવના હતાં. પરંતુ સોમવાર સાંજ સુધી હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી ન મળતા ભાજપે પોતાની નવી કવાયત શરૂ કરી છે. ભાજપે યોગીને બોકારો સુધી હેલિકોપ્ટર અને ત્યાર બાદ સડક માર્ગે પુરુલિયા પહોંચવાનો કાર્યક્રમ બનાવ્યો હતો.

મુખ્યમંત્રી યોગીએ ટ્વિટ કરીને કહ્યું કે, મને અત્યંત દુ:ખ છે કે, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની કર્મભૂમિ, આપણું બગાળ આજે મમતા બેનર્જી અને તેમની સરકારની અરાજકતા તેમ જ ગુંડાગર્દીથી પીડિત છે. હવે સમય આવ્યો છે કે, બંગાળને એક સશક્ત લોકતાંત્રિક આંદોલનના માધ્યમથી સંવિધાનના રક્ષણ માટે બેનર્જી સરકારમાંથી મુક્ત કરવામાં આવે. હું આજે પુરુલિયામાં તમારા બધા વચ્ચે આંદોલનની ધ્વજા લઈને ભ્રષ્ટાચારીઓના ગઠબંધન સામે પડકાર બનીને ઉભો રહીશ.

તો આ તરફ મમતા બેનર્જીએ યોગી પર હુમલો કરતાં કહ્યું કે, પુરુલિયામાં રેલી યોજવા પર કોઈ પ્રતિબંધ નથી. યોગી આદિત્યનાથને રેલી કરવા દો. પોતાનું યુપી તો સંભાળી નથી શકતા, ત્યાં પોલીસ કર્મીઓની હત્યા થઈ રહી છે, મોબ લિંચિંગ થઈ રહ્યું છે, તેમ છતાં યોગી બંગાળમાં ફરી રહ્યાં છે. તેમને કહો કે પહેલા તેમનું રાજ્ય સંભાળે. બંગાળમાં ભાજપ અને મમતા વચ્ચે રાજકીય રસાકસી બની રહી છે.

[yop_poll id=1098]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">