મુખ્યમંત્રીએ મીડિયાને આપી ચેતવણી, જાહેરાત જોઈએ છે તો અમારા સમાચાર બતાવો

|

Dec 17, 2019 | 10:37 AM

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું એક વર્ષ પુરૂ થવા પર મુખ્યપ્રધાન અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાન અશોક ગહેલોતે તેમની સરકારની સિદ્ધીઓ જણાવવાની જગ્યાએ લગભગ 2 કલાકમાંથી 1 કલાક સુધી વડાપ્રધાન મોદી અને મીડિયા પર બોલતા નજરે આવ્યા. મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે અમે એ ચેનલોને પૈસા આપીશું, જે અમારા સમાચાર બતાવશે. એવું ના […]

મુખ્યમંત્રીએ મીડિયાને આપી ચેતવણી, જાહેરાત જોઈએ છે તો અમારા સમાચાર બતાવો

Follow us on

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું એક વર્ષ પુરૂ થવા પર મુખ્યપ્રધાન અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાન અશોક ગહેલોતે તેમની સરકારની સિદ્ધીઓ જણાવવાની જગ્યાએ લગભગ 2 કલાકમાંથી 1 કલાક સુધી વડાપ્રધાન મોદી અને મીડિયા પર બોલતા નજરે આવ્યા.

મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે અમે એ ચેનલોને પૈસા આપીશું, જે અમારા સમાચાર બતાવશે. એવું ના થવું જોઈએ કે અમારા મંત્રી તમારા સમાચાર માટે ફોન કરતાં રહે કે અમારા સમાચાર બતાવી દો અને અમે તમને પૈસા પણ ચૂકવીએ. વિચારાધારાથી પ્રેરિત થઈ તમે ઘણા લોકોના સમાચાર બતાવો છો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

CM અશોક ગહેલોતે મીડિયાને ચેતવણી આપતાં કહ્યું કે એજન્ડા હેઠળ સમાચાર બતાવનારી ચેનલોમાં એડ (જાહેરાત) માટે પૈસા નહીં આપીએ. મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે તમે સમાચાર બતાવો, મારી આલોચના કરો પણ સમાચારને તોડી મરોડીને અને એજન્ડા હેઠળ સમાચાર બતાવશો તો સરકાર પૈસા નહીં આપે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ

CM અશોક ગહેલોતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે મીડિયા પર દબાણ બનાવી રાખ્યુ્ં છે, પત્રકાર સમાચાર બનાવવા ઈચ્છે છે પણ ઉપર બેઠેલા લોકો સમાચાર બનાવવા દેતા નથી. ગહેલોતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી દીધો કે કેન્દ્ર સરકારે છેલ્લા 1 વર્ષની મારા તમામ ભાષાઓના અને મીડિયામાં આપેલા ઈન્ટરવ્યૂની ટેપ દિલ્હી મગાવી છે, જ્યાં તેને સાંભળવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

CM અશોક ગહેલોતે કહ્યું કે અમારી સરકાર નિરોગી રાજસ્થાન થીમ પર કામ કરશે. CMએ અશોક ગહેલોતે તેમના તમામ મંત્રીઓને 10માંથી 10 નંબર આપી દીધા.
ત્યારે CMએ જામિયા યૂનિવર્સિટીમાં થયેલા લાઠીચાર્જની નિંદા કરતાં કહ્યું કે આ લોકો આર્થિક સ્થિતીથી લોકોનું ધ્યાન હટાવવા માટે દેશને અરાજકતા તરફ ધકેલી રહ્યા છે. ત્યારે ઈલેક્ટ્રોલ બોન્ડ પર બોલતાં CMએ કહ્યું કે એક ખુબ જ મોટું કૌભાંડ છે. નાગરિકતા બિલને ખોટું લાવ્યા છે, ધર્મના નામ પર બિલ લાવવુ ખોટું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article