નોર્થ ઈસ્ટ બાદ નાગરિકતા કાયદાનો વિરોધ પશ્ચિમ બંગાળમાં શરુ, ઈન્ટરનેટ સેવા બંધ

|

Dec 15, 2019 | 10:20 AM

નાગરિકતા કાયદાનો ભારે વિરોધ દેશના અમુક રાજ્યમાં થઈ રહ્યો છે. આ વિરોધ હિંસામાં પરિવર્તિત થઈ રહ્યો છે. અસમ, મેઘાલય, ત્રિપુરા જેવા નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ઈન્ટરનેટ ભારે વિરોધ પ્રદર્શનના લીધે બંધ કરી દેવાયું છે તો હવે આ વિરોધ પશ્ચિમ બંગાળમાં પણ શરુ થયો છે. પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ ના કથળે તે માટે ઈન્ટરનેટ સેવા અમુક વિસ્તારોમાં બંધ […]

નોર્થ ઈસ્ટ બાદ નાગરિકતા કાયદાનો વિરોધ પશ્ચિમ બંગાળમાં શરુ, ઈન્ટરનેટ સેવા બંધ

Follow us on

નાગરિકતા કાયદાનો ભારે વિરોધ દેશના અમુક રાજ્યમાં થઈ રહ્યો છે. આ વિરોધ હિંસામાં પરિવર્તિત થઈ રહ્યો છે. અસમ, મેઘાલય, ત્રિપુરા જેવા નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ઈન્ટરનેટ ભારે વિરોધ પ્રદર્શનના લીધે બંધ કરી દેવાયું છે તો હવે આ વિરોધ પશ્ચિમ બંગાળમાં પણ શરુ થયો છે. પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ ના કથળે તે માટે ઈન્ટરનેટ સેવા અમુક વિસ્તારોમાં બંધ કરવામાં આવી છે.  પ્રાથમિક જાણકારી મળી રહી છે જ્યાં ભારે વિરોધ થઈ રહ્યો છે તેવા 5 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી પહેલાંથી આ બિલનો વિરોધ કરી રહ્યાં છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   IND vs WI 1st ODI: મેચની શરૂઆતમાં ભારતીય ટીમને 3 મોટા ઝટકા, રોહીત, કોહલી અને રાહુલ આઉટ

શિલોંગના અમુક વિસ્તારોમાં કર્ફયુ લાદવામાં આવ્યો હતો જેમાં સાંજે 7 વાગ્યે છૂટછાટ આપવામાં આવી છે. જેના લીધે બજારો ખૂલી શકે અને લોકો જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે. અર્ધ લશ્કરી દળોને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં તૈનાત કરવામાં આવ્યા છે તો ગુવાહાટી ફાયરિંગમાં 2 લોકોના મોત થયાના સમાચાર છે. આ બાબતે ગુવાહાટી મેડિકલ કોલેજે મોતની પુષ્ટિ કરી હતી. દિલ્હીના જામીયા ઈસ્લામિયા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ નાગરિકતા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસને ટિયર ગેસ અને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં પોલીસ પર પત્થરમારો પણ થયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નાગરિકતા કાયદાના વિરોધમાં અત્યાર સુધીમાં અસમમાં 3 લોકોની મોતની પુષ્ટિ ગુવાહાટી મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી છે જ્યારે 27થી વધારે લોકો આ વિરોધ-પ્રદર્શમાં ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. ઈસ્ટ કોસ્ટ રેલવે દ્વારા ટ્રેનનો રદ કરવામાં આવી રહી છે. લાંબા ગાળાની ટ્રેનોના રૂટ નાના કરવામાં આવી રહ્યાં છે. જ્યારે રેલવેની સંપત્તિને નુકસાન ના થાય તે માટે રેલવે પોલીસ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં મોકલવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article