મોદી, રાષ્ટ્રપતિ, સેનાધ્યક્ષ, વિપક્ષના નેતાઓ, બિઝનેશમેન સહીત અનેક લોકોની જાસુસી કરતુ ચીન, 10,000થી વધુ લોકોની રોજબરોજની ગતિવિધિની માહિતી મેળવી રહ્યુ છે ચીન

|

Sep 18, 2020 | 3:57 PM

ચાલબાજ ચીનની વરવી ભૂમિકા સામે આવી રહી છે. એક તરફ સરહદ ઉપર સૈન્યના નામે તંગદીલી સર્જી રહ્યું છે, તો બીજી તરફ ભારતના ટોચના નેતાઓ, મહાનુભવોની જાસુસી કરી રહ્યું છે. અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે, ચીનની કંપની દ્વારા, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, ચીફ ઓફ ડીફેન્સ બિપીન રાવત, સેનાધ્યાક્ષ […]

મોદી, રાષ્ટ્રપતિ, સેનાધ્યક્ષ, વિપક્ષના નેતાઓ, બિઝનેશમેન સહીત અનેક લોકોની જાસુસી કરતુ ચીન, 10,000થી વધુ લોકોની રોજબરોજની ગતિવિધિની માહિતી મેળવી રહ્યુ છે ચીન

Follow us on

ચાલબાજ ચીનની વરવી ભૂમિકા સામે આવી રહી છે. એક તરફ સરહદ ઉપર સૈન્યના નામે તંગદીલી સર્જી રહ્યું છે, તો બીજી તરફ ભારતના ટોચના નેતાઓ, મહાનુભવોની જાસુસી કરી રહ્યું છે.

અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે, ચીનની કંપની દ્વારા, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, ચીફ ઓફ ડીફેન્સ બિપીન રાવત, સેનાધ્યાક્ષ નરવણે, ભારતના વિવિધ રાજકિય પક્ષોના વડાઓ, વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોની, રોજબરોજની ગતિવિધી ઉપર, સતત નજર રાખી રહ્યું હોવાનો દાવો કર્યો છે. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા, ગૌતમ અદાણી સહીતના અનેક લોકોની, જાસુસી કરવામાં આવી રહી હોવાનો, ઘટસ્ફોટ આ મીડિયા રિપોર્ટમાં કરાયો છે.

ચીન દ્વારા માત્ર રાજકીય જ નહી પરંતુ ભારતના ટોચના બિઝનેસમેન, ઉચ્ચ સ્થાને, નિર્ણાયક ભૂમિકામાં રહેલા સરકારી અધિકારીઓની પણ જાસુસી કરી રહ્યું હોવાનો ખુલાસો આ અખબારમાં કરવામાં આવ્યો છે. ભારતમાં ચીનની કંપની દ્વારા 1350 જેટલા વીવીઆઈપી સહીત કુલ 10,000 લોકોની જાસુસી કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સાયબર ક્ષેત્રના જાણકારોનું કહેવુ છે કે, ચીનની કંપની દ્વારા ભારતના જે મહાનુભવો અને ઉચ્ચ સરકારી પદાધિકારીઓની જાસુસી કરવામા આવી રહી છે તે ઘણી ગંભીર બાબત છે. ચીનની વેબસાઈટ ઉપર જાસુસી દ્વારા એકત્ર કરાયેલા ડેટા વેચાણઅર્થે રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ઈમેઈલ આઈડી અને મોબાઈલ ફોન દ્વારા જાસુસી કરીને ભેગી કરાયેલી વિગતોનો પણ સમાવેશ કરાયો છે. આ બાબત તપાસનો વિષય છે.

જો કે સાયબર બાબતોના જાણકારોએ એવો ઘટસ્ફોટ પણ કર્યો છે કે, ભારતમાં જે ચીનની મોબાઈલ એપ કંપનીઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. તે કંપનીઓએ આ ડેટા જાહેર કર્યો છે. અને હજુ તેમની પાસે જે ડેટા છે તેનુ તેઓ વધુ પૃથ્થકરણ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.

ચીને એકઠા કરેલા ડેટાનો દુરપયોગ અવશ્ય કરવામાં આવી શકે છે. આ ડેટાના આધારે ટારગેટેડ એટેક કરે. જેને સાયબર વોરફેર કે ગોરીલા એટેક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમને 2થી 6 મહિના સતત ફોલોઅપ કરે અને તમારી રોજબરોજની ગતિવીધીઓ ઉપર ધ્યાન રાખે છે. જીઓ લોકોશેન દ્વારા તમે કયા, કયારે, કેટલા વાગે ગયા છો તે આસાનીથી જાણી શકે છે. અને તેના આધારે જાસુસી કરનારા સહેલાઈથી શિકાર બનાવી શકે છે.

આ પણ વાંચોઃરાજકોટમાં કોરોનાની ગંભીર બનતી સ્થિતિ, વધુ 31 દર્દીના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:03 pm, Mon, 14 September 20

Next Article