કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. ગૃહમંત્રી અમિતશાહ 11મી નવેમ્બરના કચ્છના ધોરડો આવશે. અને રાત્રિ રોકાણ પણ ધોરડોમાં જ કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ 11 તારીખે અમીત શાહની સાથે જ રહેશે. શાહ 12મી નવેમ્બરના સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજના અંતર્ગત ઉભા કરાયેલા સ્ટોલમાં યોજના નિહાળી અને અમુક પ્રકલ્પન ખુલ્લાં પણ મુકશે. સવારે 11થી 2 દરમ્યાન કચ્છ, બનાસકાંઠા, પાટણ એમ ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચ તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજશે. જોકે હજુ સત્તાવાર કોઇ કાર્યક્રમની રૂપરેખા તૈયાર નહી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો