CAAના વિરોધ દરમિયાન થયેલી હિંસાનો મુદ્દો સંસદમાં ગુંજશે. આજથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારને ઘેરવાની વિપક્ષે તૈયાર કરી લીધી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો દિલ્લી હિંસાનો મુદ્દો સંસદમાં જોરશોરથી ઉઠાવશે. દિલ્લી પોલીસને નિષ્ફળતાને જવાબદાર ગણાવી ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની પણ માંગ કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોંગ્રેસના સૂત્રોની વાત માનીએ તો પાર્ટી સંસદના બંને ગૃહોમાં કાર્યસ્થગનની નોટિસ આપીને દિલ્હીમાં કોમી હિંસા મુદ્દે ચર્ચાની માંગ કરી શકે છે. દરમિયાન, લોકસભામાં કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ પણ કહ્યું હતું કે પાર્ટી સંસદમાં દિલ્હીના રમખાણોનો મુદ્દો જોરથી ઉઠાવશે. ટીએમસી અને ડાબેરી પક્ષો સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી લીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અને ક્રોધથી દૂર રહેવું
Published On - 3:27 am, Mon, 2 March 20