BUDGET 2020 : જાણો બજેટમાં કઈ કઈ મોટી જાહેરાતો સરકાર કરી શકે છે

|

Jan 31, 2020 | 3:13 PM

1 ફેબ્રુઆરીના રોજ ભારતનું બજેટ જાહેર કરવામાં આવશે. બજેટમાં શું શું જાહેરાતો થઈ શકે તેના વિશે તો સરકારના એલાન બાદ જ જાણી શકાશે પણ અમારા નિષ્ણાંતો દ્વારા અમુક મુદાઓ નક્કી કરવામાં આવ્યા છે જેમાં સરકાર રાહત આપી શકે છે. સરકાર આ વખતે ખાસ કરીને નોકરી આપનારી કંપનીઓના ટેક્સમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ છે. Facebook પર […]

BUDGET 2020 : જાણો બજેટમાં કઈ કઈ મોટી જાહેરાતો સરકાર કરી શકે છે

Follow us on

1 ફેબ્રુઆરીના રોજ ભારતનું બજેટ જાહેર કરવામાં આવશે. બજેટમાં શું શું જાહેરાતો થઈ શકે તેના વિશે તો સરકારના એલાન બાદ જ જાણી શકાશે પણ અમારા નિષ્ણાંતો દ્વારા અમુક મુદાઓ નક્કી કરવામાં આવ્યા છે જેમાં સરકાર રાહત આપી શકે છે. સરકાર આ વખતે ખાસ કરીને નોકરી આપનારી કંપનીઓના ટેક્સમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ પણ વાંચો :   કેન્દ્ર સરકાર દ્વારા ફેસ માસ્કની નિકાસ પર રોક, વાયરસથી સુરક્ષા માટે ગુજરાત મોટા પ્રમાણમાં બને છે માસ્ક

શું શું હોય શકે છે બજેટમાં સામેલ?
– સરકાર કૌશલ વિકાસ યોજના અનુસાર રોજગારી પ્રદાન કરનારી કંપનીઓને આપશે છૂટછાટ
– મહિલાના માટે રોજગાર વધી શકે તે માટે કંપનીઓને ખાસ ઈન્સેન્ટિવ પેકેજની જાહેરાત
– 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી તરફ આગળ વધવા માટે નિકાસને પ્રોત્સાહન
– મેક ઈન્ડિયા કાર્યક્રમને વેગ આપવા માટે વિદેશથી આયાત કરવામાં આવતા કાચા માલની કિંમતમાં વધારો કરાશે.
– ઈનકમટેક્સની છૂટ 2.5 લાખથી વધારીને 3 લાખ થઈ શકે તેવી શક્યતાઓ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

– ઘર લોન માટે વ્યાજ પર રુપિયા 2 લાખની રાહત મળે છે તે 2.5 લાખ થઈ શકે છે.
– રાસાયણિક ખાતરોની ખરીદી દરમિયાન જે સબસિડી આપવામાં આવે છે તે ખેડૂતોને સીધા જ ખાતામાં મળશે તેવો નિર્ણય લેવાઈ શકે છે.
– મનરેગાના બજેટને વધારીને 80 હજાર કરોડ સુધી લઈ જવામાં આવી શકે છે.
– ખેડૂતોને એક લાખથી પાંચ લાખની લોન પર વ્યાજ માફી મળે તેવી જાહેરાત થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

– નવી આઈઆઈટી, આઈઆઈએમ અને સ્કીલ ડેવલોપમેન્ટ સંસ્થાને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ.
– સરકાર હેલ્થ બજેટમાં વધારો કરીને આરોગ્ય સેવામાં વધારે ફંડ ફાળવે તેવી શક્યતાઓ.
– સ્માર્ટ કલાસની મદદથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે હેતુ માટે જાહેરાત થાય તેવી સંભાવનાઓ.
– રેલવે સ્ટેશનોનું આધુનિકરણ, નવી ટ્રેન અને હાઈસ્પીડ ટ્રેન માટે બજેટની ફાળવણી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ઉપરના તમામ મુદાઓ અંગે ક્યાસ લગાવવામાં આવ્યો છે કે સરકાર આવી છૂટ આપી શકે છે. ક્યાં કેટલુ રોકાણ, કોને લાભ તો ક્યા વિભાગને ઓછું ફંડ તે બજેટના એલાન બાદ જ જાણી શકાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article