ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગી સોશિયલ મીડિયા પર પોતાના ટ્વીટ્સને લઈને ચર્ચામાં રહે છે. પાયલ ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે, પરંતુ તેમણે વડા પ્રધાન મોદીને એક પ્રશ્ન પૂછ્યો છે ત્યારબાદ તે હેડલાઇન્સમાં આવી છે. તેમણે વડા પ્રધાનને પૂછ્યું છે કે તેઓ શા માટે ટ્વીટર પર તેમને ફોલો કરતા નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પાયલ સતત હિંદુ અને ભાજપ માટે ટ્વીટ્સ કરે છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું કે “માનનીય પ્રધાનમંત્રીજી, હું ક્યારેય તમને મળી નથી, તમારું ટ્વિટર હેન્ડલ પણ મને ફોલો કરતું નથી પરંતુ ઘણા અન્ય સમર્થકોને ફોલો કરે છે. હું હૃદયપૂર્વક તમને ટેકો આપું છું. મને લાગે છે કે તમે દેશના નિષ્પક્ષ નેતા છો. શું મારી સાથે આવું કરવું યોગ્ય છે?”
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: Video: અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાના મામલે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક
ખાસ વાત એ છે કે લોકો પાયલ રોહતગીના ટ્વીટ પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. પાયલે બોલીવૂડમાં પ્લાન, રક્ત, હે બેબી, 36 ચાઇના ટાઉન અને ઢોલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે બોલીવૂડથી દૂર છે.
[yop_poll id=”1″]
Published On - 12:11 pm, Wed, 17 July 19