શનિવારે વડાપ્રધાન મોદી (PM MODI) એ BJP ના મોરચાના પ્રમુખો સાથે બેઠક કરી હતી. આ સૌજન્ય બેઠક લગભગ ચાર કલાક ચાલી હતી. આ બેઠક દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda) અને પાર્ટી મહાસચિવ સંગઠન બી.એલ. સંતોષ પણ હાજર હતા. આ બેઠક ભાજપના મોરચા પ્રમુખો દ્વારા લોકડાઉન દરમિયાન તેમને અપાયેલા કામની સમીક્ષા બેઠક બાદ તરત જ પીએમ મોદીના નિવાસ સ્થાને થઈ હતી.
Report was presented to the party chief on the relief work amid the pandemic. It was decided in the meeting that the party will train 1lakh health volunteers across the country, including imparting technical knowledge, to operate ventilators-#BJP general secretary Bhupender Yadav pic.twitter.com/aXOycfS1pz
— tv9gujarati (@tv9gujarati) June 6, 2021
શનિવારે BJP ના મોરચાના પ્રમુખો જેપી નડ્ડાને તેમના નિવાસ સ્થાને પણ મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાથે મોરચાના પ્રમુખોની બેઠક અનૌપચારિક હતી. બેઠકમાં પીએમ મોદીએ ઉપસ્થિત દરેકને તેમના અને તેમના પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા. વડાપ્રધાને મોરચાના પ્રમુખોને તેમના વિસ્તારોમાં કોરોના સંક્રમણની સ્થિતિ વિશે પણ પૂછ્યું.
સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. તેમજ આગામી ચૂંટણીઓ અંગે પણ ટૂંકી ચર્ચા થઈ હતી. બેઠકમાં BJP ના નેતાઓને સરકાર અને પાર્ટીની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપના નેતૃત્વએ અગાઉ ચૂંટણી સંગઠનોના મહામંત્રી દ્વારા પણ ચૂંટણી રાજ્યોનું ફીડબેક લીધું હતું.