ભાજપ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું કે ભારત અત્યાર સુધી તમારા પરિવાર દ્વારા કરેલી ભુલોને ભોગવી રહ્યું છે. તમે એ વાતને નિશ્ચિત સમજો કે ભારત આતંકવાદની વિરૂધ્ધ જંગ જીતીને જ રહેશે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છોડી દો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગથી ડરી ગયા છે અને ચીન જ્યારે પણ ભારતની વિરૂધ્ધ કોઈ ખોટુ પગલું ઉઠાવે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન લઈ લે છે.
China wouldn't be in UNSC had your great grandfather not 'gifted' it to them at India’s cost.
India is undoing all mistakes of your family. Be assured that India will win the fight against terror.
Leave it to PM Modi while you keep cosying up with the Chinese envoys secretly. https://t.co/lAyp12CXBD
— BJP (@BJP4India) March 14, 2019
વડાપ્રધાન મોદીએ શી જીનપિંગની સાથે દિલ્હીમાં ગળે મળ્યા અને ચીનમાં જઈને તેમની સામે માથું ઝુકાવ્યુ. રાહુલ ગાંધીના પહેલા કૉંગ્રેસના અન્ય પ્રવકતાઓ પણ મોદી સરકાર પર સીધો હુમલો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને તેના વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાથી રોકયો હતો. ચીન દ્વારા આ સતત 4 વખત કરવામાં આવ્યુ છે. ચીનની આ ચાલ પર ભારતે કડક વિરોધ દાખલ કર્યો છે. ત્યારે ભારતની સાથે અમેરીકા પણ ચીનની આલોચના કરી રહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]