નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી શકે છે!, સિદ્ધુના ભાષણને લઈને માગ્યો ચૂંટણી પંચે રિપોર્ટ, જાણો નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને શું કહ્યું હતું?

|

Apr 16, 2019 | 2:44 PM

લોકસભા ચૂંટણીને લઈને ફરીથી નેતાઓ વિવાદીત નિવેદનો આપી રહ્યાં છે તેથી આ બાબતે ચૂંટણી પંચ પણ સર્તકતા દાખવી રહ્યું છે. કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પણ મુસ્લિમોને લઈને નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ ખાટી જવા માટે નેતાઓ જાતિ, ધર્મ અને સમુદ્દાયના આધારે પણ નિવેદનો આપતા અચકાતા નથી. યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી […]

નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી શકે છે!, સિદ્ધુના ભાષણને લઈને માગ્યો ચૂંટણી પંચે રિપોર્ટ, જાણો નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને શું કહ્યું હતું?

Follow us on

લોકસભા ચૂંટણીને લઈને ફરીથી નેતાઓ વિવાદીત નિવેદનો આપી રહ્યાં છે તેથી આ બાબતે ચૂંટણી પંચ પણ સર્તકતા દાખવી રહ્યું છે. કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પણ મુસ્લિમોને લઈને નિવેદન આપ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ ખાટી જવા માટે નેતાઓ જાતિ, ધર્મ અને સમુદ્દાયના આધારે પણ નિવેદનો આપતા અચકાતા નથી. યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી પંચે કાર્યવાહી કરીને તેમને અમુક સમય માટે ચૂંટણી પ્રચાર કરતા રોકી દીધા છે.

પોતાની રેલીમાં શું બોલ્યા હતા નવજોત સિહં સિદ્ધુ?

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ બિહારની કટિહાર લોકસભાની સીટ પર બારસોઈ ખાતેથી પોતાનું ભાષણ આપ્યું હતું. ચૂંટણી પ્રચારમાં સિદ્ધુએ કહ્યું કે ‘અહીંયા લોકોને જાતિ-જ્ઞાતિના આધારે વહેંચવાની રાજનીતિ થઈ રહી છે. હું મારા મુસ્લિમ ભાઈઓને એક જ વાત કહેવા માગું છું કે આ ક્ષેત્રમાં તમે અલ્પસંખ્યક હોવા છતાં બહુ સંખ્યક છો. અહિંયા તમારી સંખ્યા 62 ટકા છે અને ભાજપના ચાલાક લોકો તમને તોડવાની કોશિશ કરશે પણ એક સાથે રહેશો તો દૂનિયાની કોઈ પણ તાકાત કોંગ્રેસને નહીં હરાવી શકે’

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

TV9 Gujarati

 

ચૂંટણી પંચે માગ્યો ભાષણને લઈને રિપોર્ટ, નવજોત સિંહ સિદ્ધુ પર થઈ શકે છે કાર્યવાહી!

કોંગ્રેસ નેતાના આ ભાષણને લઈને ફરીયાદ થતા ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે અને આ ભાષણને લઈને રિપોર્ટ પણ માગ્યો છે. આમ ધર્મના આધારે ભાષણ આપવાથી હવે સિદ્ધુના ચૂંટણી પ્રચાર પણ લગામ કસાય જાય તો નવાઈ નહીં. માયાવતી પર અને યોગી આદિત્યનાથ પર કાર્યવાહી કર્યા બાદ હવે સિદ્ધુ પર આ ટિપ્પણીના આધારે કાર્યવાહી થઈ શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:42 pm, Tue, 16 April 19

Next Article