Bihar Cabinet Expansion 2021: બિહારમાં આજે એટલે કે મંગળવાર નીતીશ કુમારની સરકારનું વિસ્તરણ કરવામા આવ્યુ. ભાજપના રાષ્ટ્રીય નેતા શાહનવાઝ હુસેન સહીત વિસ્તરણ કરાયેલા પ્રધાનમંડળમાં વધુ 17 પ્રધાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, શાહનવાઝ હુસેનને મહત્વના વિભાગની સાથે મહત્વપૂર્ણ જવાબદારી સોપવામાં આવી શકે છે. કુલ 17 નવા પ્રધાનમાં 9 ભાજપના અને 8 જેડીયુના છે.
1 શ્રવણ કુમાર,
2 મદન સહની,
3 સંજય ઝા,
4 લેસીસિંહ
5 જમાખાન
6 જયંતરાજ
7 સુનિલકુમાર
8 સુમિત કુમાર
1 પ્રમોદ કુમાર
2 આલોક રંજન
3 નીરજસિંહ બબલુ
4 નિતીન નવિન
5 સમ્રાટ ચૌધરી
6 સુભાષસિંહ
7 જનક રામ
8 નારાયણ પ્રસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, આજના કેબિનેટના વિસ્તરણ પૂર્વે ભાજપમાંથી જ્ઞાનેન્દ્રસિંહ જ્ઞાનુ નારાજ હતા. વિરોધના ભાગરૂપે જ્ઞાનેન્દ્રસિંહે એવુ પણ કહ્યુ કે, ભાજપ સવર્ણ વિરોધી પક્ષ છે. વિસ્તરણમાં પોતાનુ નામ ના હોવાના પગલે, જ્ઞાનેન્દ્રસિંહે આ પ્રકારનું નિવેદન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, રાજકિય વિશ્લેષકો આ ઘટનાને આવનારા ભવિષ્યમાં ભાજપમાં મોટા રાજકીય વમળ સર્જનારા બતાવી રહ્યાં છે.