અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો તો આપી દીધો છે. જેમાં અલગ મસ્જિદ માટે જમીન આપવામાં આવી છે અને અયોધ્યાની જમીન પર રામમંદિર ટ્ર્સ્ટ રચીને બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 5 એકર જમીન મસ્જિદ માટે ફાળવવામાં આવી છે. આ ચુકાદા બાદ પણ મુસ્લિમ પક્ષે તો હવે હિંદુ મહાસભાએ રિવ્યૂ પિટીશન દાખલ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : પશુપાલકો માટે ખૂશ ખબરઃ અમૂલ ડેરીએ દૂધની ફેટની કિંમતમાં 10 રૂપિયાનો કર્યો વધારો
આ બાબતે મુસ્લિમ પક્ષે પુનર્વિચાર અરજી કોર્ટમાં દાખલ કરી છે. 9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેની પર ફરીથી વિચારણા કરવાનું કહેવામાં આવ્યું છે. આ બાજુ હિંદુ મહાસભાએ પણ પુનર્વિચાર અરજી દાખલ કરી છે.
હિંદુ મહાસભાએ પુનર્વિચાર અરજી દાખલ કરી શું કરી માગણી?
હિંદુ મહાભાએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી કરી છે. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે અયોધ્યામાં જમીન વિવાદ તો રામમંદિર-બાબરી મસ્જિદનો જ હતો. આ કેસમાં કોર્ટે કહ્યું કે રામમંદિર પહેલાં ત્યાં હતું અને ચુકાદો રામલલ્લાના પક્ષમાં આપ્યો. તો મસ્જિદ માટે કેવી રીતે 5 એકર જમીનની ફાળવણી કરવામાં આવી. આ 5 એકર જમીન ન આપવી જોઈએ એવી માગણી પુનર્વિચાર અરજીમાં કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ સિવાય સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે 6 ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવી તે અસંવિધાનિક હતું. આ ટિપ્પણીને પણ હટાવવા માટે હિંદુ મહાસભાએ અરજીમાં કહ્યું છે. જે બાબતે તર્ક આપ્યો છે કે આ ટિપ્પણીની અસર સીબીઆઈ ટ્રાયલ કેસમાં પડી શકે છે. ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદ તોડી પાડવાનો કેસ સીબીઆઈની વિશેષ અદાલતમાં ચાલી રહ્યો છે. તે લખનઉં શહેરમાં ટ્રાયલમાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:13 pm, Mon, 9 December 19