Gujarati NewsPoliticsAyodhya land title case sc asks mediation panel to submit report by july 25
VIDEO: રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 25 જૂલાઈના રોજ હાથ ધરાશે આગામી સુનાવણી
અયોધ્યા કેસમાં જલ્દી સુનાવણી થાય તે માટે કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કરી રહેલી સમિતિ પાસે રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ જોયા બાદ 25 જુલાઈથી કેસની દરરોજ સુનાવણી થશે. જ્યારે મધ્યસ્થી રહેશે કે નહીં તેનો નિર્ણય પણ 25 જુલાઈએ થશે. મહત્વનું છે કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની […]
Follow us on
અયોધ્યા કેસમાં જલ્દી સુનાવણી થાય તે માટે કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કરી રહેલી સમિતિ પાસે રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ જોયા બાદ 25 જુલાઈથી કેસની દરરોજ સુનાવણી થશે. જ્યારે મધ્યસ્થી રહેશે કે નહીં તેનો નિર્ણય પણ 25 જુલાઈએ થશે. મહત્વનું છે કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં પાંચ જજોની ખંડપીઠે અરજી પર સુનાવણી કરી હતી.
આ મુદ્દે એક હિન્દુ અરજીકર્તાએ મધ્યસ્થતા પ્રક્રિયાની માગ સાથે તુરંત સુનાવણી કરવાની માગ કરી છે. તમને જણાવી દઈએ કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અબ્દુલ નજીરની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે. ગત માર્ચમાં મધ્યસ્થતા કમિટી બનાવી તમામ પક્ષો સાથે વાતચીત કરી હલ કાઢવા આઠ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. જસ્ટીસ ખલીફુલ્લાહ પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો