અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પલટવાર, ડોર સ્ટેપ રેશન યોજનામાંથી મુખ્યમંત્રીનું નામ દૂર કર્યું

|

Mar 20, 2021 | 5:48 PM

દિલ્હીના મુખ્યમંત્રી Arvind Kejriwal એ કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે લોકોની સુવિધા માટે રાજ્ય દ્વારા સૂચવવામાં આવેલી યોજનાને કેન્દ્ર દ્વારા ફક્ત એટલા માટે મંજૂરી નહોતી મળી કે આ યોજનાનું નામ મુખ્યમંત્રીના નામ પર હતું. સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે આ યોજનાનું હવે કોઇ નામ નથી.

અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પલટવાર, ડોર સ્ટેપ રેશન યોજનામાંથી મુખ્યમંત્રીનું નામ દૂર કર્યું
Delhi CM Arvind kejriwal( File Photo)

Follow us on

દિલ્હીના મુખ્યમંત્રી Arvind Kejriwal એ કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે લોકોની સુવિધા માટે રાજ્ય દ્વારા સૂચવવામાં આવેલી યોજનાને કેન્દ્ર દ્વારા ફક્ત એટલા માટે મંજૂરી નહોતી મળી કે આ યોજનાનું નામ મુખ્યમંત્રીના નામ પર હતું. સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે આ યોજનાનું હવે કોઇ નામ નથી.

સીએમ Arvind Kejriwal એ  કહ્યું કે, ” મુખ્યમંત્રી ઘર રેશન યોજના ” 25 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ ગઈકાલે અમને કેન્દ્ર સરકારનો એક પત્ર મળ્યો કે આ યોજનાઓ લાગુ કરી શકાતી નથી. કારણ કે આ યોજનાનું નામ મુખ્યમંત્રીના નામ પર છે. તેથી આજે અમે આ અંગે એક બેઠક યોજી હતી. અને હવે આ યોજનાનું કોઈ નામ નથી અમને કોઈ ક્રેડિટની જરૂર નથી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ યોજના હેઠળ રેશન લોકોના ઘરે પહોંચશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી લોકોને દુકાનોમાં લાઇનમાં ઉભા રહીને રેશન લેવું પડ્યું હતું. પરંતુ આ યોજનાના અમલીકરણને કારણે રેશન તેમના દરવાજે પહોંચશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ અગાઉ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા વધારવાના કેન્દ્ર સરકારના બિલની વિરુદ્ધ સમર્થન આપવા માટે તેમના પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે જેને ભારત અને તેની લોકશાહીની ચિંતા છે તે આ બિલને ટેકો આપી શકશે નહીં.

કેજરીવાલે પણ ટ્વિટ કરીને બેનરજીને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં “જબરદસ્ત વિજય” ની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘કેન્દ્ર સરકારના ગેરબંધારણીય પગલાને સમર્થન આપવા બદલ આભાર. ભારત અને તેના લોકશાહીની ચિંતા કરનાર કોઈ પણ આ બિલનું સમર્થન કરી શકશે નહીં. હું આશા રાખું છું કે ભાજપ સરકાર તરફથી આ બિલ પાછું ખેંચી લે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હું પણ તમને આગામી ચૂંટણીમાં જબરદસ્ત વિજયની શુભેચ્છા પાઠવું છું.

ઉલ્લેખનીય છે, અરવિંદ કેજરીવાલને મોટો આંચકા આપતા કેન્દ્ર સરકારે દિલ્હીની આમ આદમી પાર્ટી (આપ) સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી ડોર સ્ટેપ રેશન યોજનાને બંધ કરી દીધી છે . કેન્દ્ર સરકારે દિલ્હી સરકારના ખાદ્ય પુરવઠા સચિવને લખેલા પત્રમાં લખ્યું છે કે આ યોજના શરૂ થવી જોઈએ નહીં. કેજરીવાલ સરકારે પણ આ યોજના માટે ટેન્ડર બહાર પાડ્યું હતું અને 25 માર્ચથી તેનું લોકાર્પણ થવાનું હતું. કેન્દ્રના આ પગલા બાદ આપએ પૂછ્યું છે કે મોદી સરકાર રેશન માફિયાઓને નાબૂદ કરવા વિરુદ્ધ કેમ છે?

Next Article