અમિત શાહ ફરીથી રાજ્યસભામાં ગુંજ્યા હતા અને પોતાની ધારદાર દલીલો આર્ટીકલ 370ની નાબુદીના પક્ષમાં મુકી હતી. જેમાં અમિત શાહે એવું પણ જણાવ્યું કે શા માટે કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે કાશ્મીરમાં ભ્રષ્ટાચારનું મૂળ કલમ 370 છે. અમિત શાહે દલીલ કરી કે કાશ્મીરમાં લાખો રુપિયા મોકલવામાં આવે છે કે પણ કલમ 370ના લીધે રાષ્ટ્રની કોઈપણ એજન્સી ત્યાં જઈને તપાસ કરી શકતી નથી. આમ અમિત શાહે કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા હેઠળ કેન્દ્ર સરકારની તપાસ સંસ્થાઓના હાથ બંધાઈ જાય છે અને તપાસ કરી શકાતી નથી. જ્યારે તપાસ ન થાય તો ભ્રષ્ટાચાર વધવાનો જ એવી દલીલ રાજ્યસભામાં અમિત શાહે કરી હતી.
આ પણ વાંચો: અમિત શાહે કાશ્મીરમાં જમીનની કિંમતને લઈને જે આંકડાઓ આપ્યા તે જાણીને તમે ચોંકી જશો!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
Published On - 1:11 pm, Mon, 5 August 19