AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીની નવી સરકારમાં આ કારણોથી અમિત શાહને કેન્દ્રમાં ગૃહ વિભાગ મળી શકે છે, ગુજરાત સાથે જોડાયેલું છે કનેક્શન

વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવતીકાલે બીજી વખત શપથ લેશે. નવી ટીમ મોદીમાં ગુજરાતમાં ત્રણથી ચાર પ્રધાનોનો સમાવેશ કરાય તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયેલા અમિત શાહનો ટીમ મોદીમાં સમાવેશ લગભગ નિશ્ચિત ગણાય છે. અમિત શાહને સરકારમાં નંબર 2નું સ્થાન મળી શકે છે. અમિત શાહને ગૃહ અથવા નાણાં પ્રધાનની જવાબદારી સોંપાઈ […]

PM મોદીની નવી સરકારમાં આ કારણોથી અમિત શાહને કેન્દ્રમાં ગૃહ વિભાગ મળી શકે છે, ગુજરાત સાથે જોડાયેલું છે કનેક્શન
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:02 AM

વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવતીકાલે બીજી વખત શપથ લેશે. નવી ટીમ મોદીમાં ગુજરાતમાં ત્રણથી ચાર પ્રધાનોનો સમાવેશ કરાય તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયેલા અમિત શાહનો ટીમ મોદીમાં સમાવેશ લગભગ નિશ્ચિત ગણાય છે. અમિત શાહને સરકારમાં નંબર 2નું સ્થાન મળી શકે છે. અમિત શાહને ગૃહ અથવા નાણાં પ્રધાનની જવાબદારી સોંપાઈ શકે છે. અમિત શાહને ગૃહ વિભાગ સોંપવામાં આવે તેની શક્યતા વધારે દેખાઈ રહી છે. આ પાછળનું એક કારણ એવુ પણ દર્શાવવામાં આવે છે કે તેઓ ગુજરાતમાં આ જવાબદારી નિભાવી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Stomach Infection થાય તો શું ખાવું ?
TMKOC : તારક મહેતાના નવા 'અંજલી ભાભી' રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ
સમોસા અને જલેબી કોણે ન ખાવા જોઈએ?
દેવોં કે દેવ...મહાદેવ મોહિત રૈનાના પરિવાર વિશે જાણો
Gopal Italia Salary : ગોપાલ ઈટાલિયાને હવે ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે ?
Plant In Pot : લીંબુની છાલ ફેકીં દો છો ? છોડમાં આ રીતે કરો ઉપયોગ જંતુઓ રહેશે દૂર

આ પણ વાંચોઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ PM મોદીને પત્ર દ્વારા નવી મંત્રીમંડળમાં સમાવેશને લઈ પોતાના સ્થાન વિશે આપી માહિતી

2002માં ગુજરાતમાં બનેલી નવી સરકારમાં અમિત શાહ પાસે ગૃહ સહિત કુલ 12 વિભાગ હતા. અમિત શાહે મોટાપ્રમાણમાં એવો વિભાગ સાથે કામ કરેલું છે જેમાં સુરક્ષા અને પોલિસી લેવલની કામગીરી થતી હોય છે. કેન્દ્રમાં પણ ગૃહ વિભાગની જવાબદારી દ્વારા અમિત શાહનું કદ પણ મોટુ થઈ જશે. તો હાલમાં ગૃહ વિભાગ રાજનાથ સિંહ પાસે છે ત્યારે તેમને પણ સરંક્ષણ અથવા અન્ય વિભાગ સોંપવામાં આવી શકે છે.

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠકથી ચૂંટાયેલા પરબત પટેલનો પણ પ્રધાનમંડળમાં સમાવેશ થઈ શકે છે. પરબત પટેલ લો પ્રોફાઈલ અને ચૌધરી સમાજના મોટા નેતા છે. ગુજરાતમાંથી ઓબીસી નેતા તરીકે પરબત પટેલને સ્થાન મળી શકે છે. તો મધ્ય ગુજરાતના આદિવાસી મતદારો પર પ્રભુત્વ ધરાવતા જશવંતસિંહ ભાભોર પ્રધાન પદે રીપિટ થઈ શકે છે. જશવંતસિંહ ભાભોર અમિત શાહના નજીકના નેતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાંથી રાજ્યસભા સાંસદ પરષોત્તમ રૂપાલાને પ્રધાનમંડળમાં રીપિટ કરાઈ શકે છે. સૌરાષ્ટ્રના અને પાટીદાર સમાજના મોટા નેતા છે. રૂપાલા પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે. મોદી-શાહના અંગત અને ક્લિન ઈમેજ છે. તો પાટીદાર આંદોલન સમયે ડેમેજ કંટ્રોલ કરવામાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">