અમિત શાહ અચાનક આવ્યા અમદાવાદ, 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કરશે રોકાણ
પેટાચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમિત શાહ 17 તારીખ સુધી ગુજરાતમાં રોકાશે. કોરોનાકાળના 7 મહિનાના લાંબા અંતરાલ બાદ પેટાચૂંટણી પૂર્વે અમિત શાહ અચાનક અમદાવાદ આવ્યા છે . કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પેટાચૂંટણીને લઇને ભાજપના નેતાઓ સાથે બેઠક કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. પેટાચૂંટણી પૂર્વે અમિત શાહની હાજરીથી કાર્યકરોમાં ઉત્સાહનો […]
Follow us on
પેટાચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમિત શાહ 17 તારીખ સુધી ગુજરાતમાં રોકાશે. કોરોનાકાળના 7 મહિનાના લાંબા અંતરાલ બાદ પેટાચૂંટણી પૂર્વે અમિત શાહ અચાનક અમદાવાદ આવ્યા છે . કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પેટાચૂંટણીને લઇને ભાજપના નેતાઓ સાથે બેઠક કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. પેટાચૂંટણી પૂર્વે અમિત શાહની હાજરીથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નવરાત્રિ પર્વને લઇને માણસામાં કુળદેવીના દર્શન પણ કરવા જશે.અહીં નોંધનીય છેકે આ પહેલા અમીત શાહનો નવરાત્રી નિમિતે ગુજરાત આવવાનો પ્રોગ્રામ હતો. પરંતુ, અચાનક તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે.