ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે સરકારે લીધો નિર્ણય, રશિયાથી 33 લડાકુ વિમાનની કરાશે ખરીદી

|

Sep 28, 2020 | 1:34 PM

ભારત અને ચીન વચ્ચે LAC પર હિંસા થઈ હતી. આ ઘટના બાદ ભારતે પોતાની વાયુશક્તિ વધારવાનો નિર્ણય લીધો છે.  ભારત સરકારે ઈન્ડિયન એરફોર્સ માટે 12 નવા સુખોઈ અને 21 નવા મિગ-29 વિમાન એમ કુલ 33 લડાકુ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ઓનલાઈન મીડિયા રિપોર્ટ મુજબ આ મુદે ભારત સરકાર પહેલાંથી જ કામ કરી રહી હતી […]

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે સરકારે લીધો નિર્ણય, રશિયાથી 33 લડાકુ વિમાનની કરાશે ખરીદી

Follow us on

ભારત અને ચીન વચ્ચે LAC પર હિંસા થઈ હતી. આ ઘટના બાદ ભારતે પોતાની વાયુશક્તિ વધારવાનો નિર્ણય લીધો છે.  ભારત સરકારે ઈન્ડિયન એરફોર્સ માટે 12 નવા સુખોઈ અને 21 નવા મિગ-29 વિમાન એમ કુલ 33 લડાકુ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ઓનલાઈન મીડિયા રિપોર્ટ મુજબ આ મુદે ભારત સરકાર પહેલાંથી જ કામ કરી રહી હતી જો કે ચીનની સાથે અથડામણ બાદ સરકારે આ પ્રક્રિયા વધુ ઝડપી બનાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  દેશમાં વધી રહ્યો કોરોના વાઈરસનો કેર, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 12,881 પોઝિટિવ કેસ નોંધાયા

ભારત રશિયાને 5000 કરોડ રુપિયા આ વિમાન માટે ચૂકવશે
33 નવા ફાઈટર પ્લેન ભારતીય એરફોર્સમાં સામેલ કરવા માટે પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. આ ડીલ રશિયા સાથે કરવામાં આવી છે અને 5 હજાર કરોડ રુપિયાનો અંદાજીત ખર્ચ થશે. જો કે આ ડીલ વિશે ડિફેન્સ મંત્રાલય આગામી અઠવાડિયામાં નિર્ણય લઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રશિયાથી ફાઈટર પ્લેનની ખરીદી તો કરવામાં આવશે જ સાથે અન્ય જરુરી વસ્તુઓ મગાવવામાં આવશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઈન્ડિયન એરફોર્સે વિમાનથી જોડાયેલા તમામ સ્પેરુપાર્ટસ અને બીજા સાધનો પણ યોગ્ય માત્રામાં મગાવવામાં આવે તેની માગણી કરી છે. જેના લીધે ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી શકાય. ઉલ્લેખનીય છે કે 15-16 જૂનની રાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. ચીનના સૈનિકોએ અચાનક હુમલો કર્યો અને તેમાં ભારતના 20 જવાન શહીદ થયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:20 pm, Thu, 18 June 20

Next Article