ચૂંટણીમાં હારેલા ભાજપના પૂર્વ ધારાસભ્યોને કમલમનું તેડું, આગામી સપ્તાહે યોજાશે મંથન બેઠક

|

Aug 28, 2020 | 11:11 AM

આગામી સપ્તાહે ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યલમ કમલમ ખાતે, ચૂંટણીમાં હારી ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ બેઠકમાં,  ગુજરાત વિધાનસભાની 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં હારેલા ભાજપના ઉમેદવારોને બોલાવ્યા છે.  આ એવા ઉમેદવારોને બેઠક છે કે જેઓ એકવાર કે તેથી વધુવાર ચૂંટણીમાં જીત્યા હોય પરંતુ પછીની ચૂંટણીમાં હાર્યા હોય. […]

ચૂંટણીમાં હારેલા ભાજપના પૂર્વ ધારાસભ્યોને કમલમનું તેડું, આગામી સપ્તાહે યોજાશે મંથન બેઠક

Follow us on

આગામી સપ્તાહે ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યલમ કમલમ ખાતે, ચૂંટણીમાં હારી ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ બેઠકમાં,  ગુજરાત વિધાનસભાની 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં હારેલા ભાજપના ઉમેદવારોને બોલાવ્યા છે.  આ એવા ઉમેદવારોને બેઠક છે કે જેઓ એકવાર કે તેથી વધુવાર ચૂંટણીમાં જીત્યા હોય પરંતુ પછીની ચૂંટણીમાં હાર્યા હોય.

કમલમ ખાતે યોજાનાર હારી ગયેલા પૂર્વ ધારાસભ્યોમાં  વિધાનસભાની પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ, પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી, પૂર્વ સામાજીક ન્યાય અને અધિકારીતા પ્રધાન આત્મારામ પરમાર, જયનારાયણ વ્યાસ અમદાવાદના ભૂષણ ભટ્ટ અને જગરૂપસિંહ રાજપૂત સહીત કુલ 40 જેટલા પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોની બેઠક આગામી બુધવારને 2જી સપ્ટેમ્બરે યોજાશ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહત્વનું છે કે પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ, સંગઠનને મજબૂત કરવા માટે, તેમજ કાર્યકર્તાઓને કામમાં ફરીથી ઉત્સાહ સાથે જોતરવા માટે, એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેમના ભાષણોમાં જ્યાં એક તરફ તેમને અત્યાર સુધી તેમણે જૂથવાદ પર નિશાનો સાધ્યો છે ત્યાં જ કોંગ્રેસમાંથી નેતાઓ માટે ભાજપ સમાવેશનો રસ્તો બંધ કરવાનો પણ સંદેશ આપ્યો. એ તમામની વચ્ચે છેલ્લી ત્રણ ચૂંટણીમાં હારનો સામનો કરનાર પૂર્વ ધારાસભ્યને બેઠકમાં બોલાવ્યા છે.

વર્ષ 2017 માં ભાજપની સરકાર તો બની. પરંતુ ચૂંટણીમાં 100નો આંકડો પાર ના કરી શક્યા.  99 બેઠક પર જ ભાજપે જીત મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. જ્યાં બીજી તરફ કોંગ્રેસ 77 બેઠક સાથે વિપક્ષ તરીકેનું મેન્ડેડ સ્વીકાર્યું હતું. જો કે વર્ષ 2020 આવતા સુધીમાં કોંગ્રેસનું સંખ્યા બળ 77 માંથી ઘટીને 64 પર આવી ગઈ. જો કે રાજકીય વિશ્લેષકોના મતે આ તડજોડની રાજનીતિની ભાજપ સત્તા પર ટકી રહી અને કોંગ્રેસ નબળી બનતી ગઈ પરંતુ એની સીધી અસર ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓ પર થઈ રહી છે.

કોંગ્રેસને નબળી પાડવા માટે કોંગ્રેસના જીતેલા mlaના સમય સાથે ભાજપમાં સમાવેશ કરવામાં આવે છે અને જીતની જવાબદારી પણ ભાજ ના કાર્યકર્તાઓ અને કેટલાક કિસ્સાઓમાં તો ભૂતકાળમાં ભાજપ તરફથી જે ઉમેદવાર કોંગ્રેસ સામે લડ્યો હોય એને સોંપવામાં આવે છે જેના કારણે પાર્ટીમાં આતરિક રીતે એક વૈમન્સય ઉભું થઈ રહ્યું છે અને જે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હારી ગયા છે એમને કોરાણે મૂકી દેવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. આ અંગે કેટલાક સૂચનો પણ ભાજપ પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારોને મળ્યા હતાં.

આગામી સમયમાં જ્યારે 8 બેઠકો પર પેટાચૂંટણી આવી રહી છે. સાથે જ વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજશે. એ પહેલાં જ તમામ પૂર્વ mla સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે તે સમયે હાર ના કારણો પર પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ 2017 થી 2020 સુધીમાં પોતાના મતવિસ્તારમાં કેટલા એક્ટિવ રહ્યા તેમજ જે તે મતવિસ્તારમાં વર્તમાન રાજકિય તેમજ સામાજિક પરિસ્થિતિ શુ છે? કોવિડ દરમ્યાન કેવી રીતે કામગીરી કરવામાં આવી. આ સમય દરમ્યાન કેવા પ્રકાર ની સમસ્યા નો થઈ તેમજ કોંગ્રેસમાં ઉમેદવારને ભાજપમાંથી ટીકીટ આપવાથી શુ પરિસ્થિતિ સર્જાય છે આવા અનેક મુદ્દો પર ચર્ચા કરવામાં આવશે.

મહત્વ નું છે કે વર્ષ 2007 માં ભાજપ 117 બેઠકો પર જીત મેળવી હતી જેમાં વર્ષ 2012 માં 2 બેઠકો નો વધારો થયો 119 બેઠક સાથે ભાજપે જીત મેળવી જો કે દેશમાં વર્તમાન વડાપ્રધાન તેમજ તે સમય માં રાજ્ય ના તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતા માં યોજનાર ગુજરાત વિધાન સભા ની આ અંતિમ ચૂંટણી હતી. વર્ષ 2014 માં ભાજપે ગુજરાતમાં 26 માંથી 26 બેઠક પર જીત મેળવી સાથે જ નરેન્દ્ર મોદી દેશ માં વડાપ્રધાન બન્યા. જો કર સમય સાથે ગુજરાત માં પરિસ્થિઓ વણસી. એક બાદ એક આંદોલન તેમજ પાટીદાર અદોલન ના કારણે આનંદી બેન પટેલ ને પણ cm તરીકે રાજીનામુ આપવું પડ્યું.

વર્ષ 2017 ની ચૂંટણી હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં લડાનાર પ્રથમ વિધાનસભા ની ચૂંટણી હતી. જ્યારે પાટીદાર અદોલન ની અસર પ્રચંડ હતી. ભાજપ સતત 6 વાર ગુજરાતમાં સરકાર બનાવવામાં સફળ તો રહ્યો પરંતુ છેલ્લા 3 ટર્મ ની સૌથી ઓછી બેઠક મળી. અને સાથે જ ચૂંટણી માં હારેલા કેટલાક દિગગજ નેતાઓ કોરાણે મુકાઈ ગયા. આવા નેતાઓ અને માજી ધારાસભ્યો ને ફરી એક્ટિવ કરવાનો પ્રયાસ આ બેઠક માં કરવામાં આવશે એવું મનવામાં આવી રહ્યું છે ત્યારે આ મંથન માંથી શુ ફલશ્રુતિ રહેશે એની પર સૌની નજર છે

Next Article