
ભુજંગાસન: જ્યારે તમે આ યોગ આસનનો અભ્યાસ કરો છો, ત્યારે તેમાં કમરથી ગરદન સુધી કરોડરજ્જુને વળાંક આપવામાં આવે છે. તે તમારા ફેફસાં, ખભા, છાતી અને પેટને ખેંચવામાં મદદ કરે છે અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે. તે તમારી કરોડરજ્જુ ફ્લેક્સિબલ બને છે. આ ધીમે-ધીમે તમારી કરોડરજ્જુને સીધી કરે છે.

ચક્રાસન: જ્યારે તમે આ યોગ આસનનો અભ્યાસ કરો છો, ત્યારે તે તમારા પેટ, હિપ્સ, કરોડરજ્જુ, ખભાના બ્લેડ પર પીઠના નીચેના ભાગ અને હાથ સુધી કામ કરે છે. તેમને મજબૂત બનાવે છે અને કમરને ફ્લેક્સિબલ બનાવે છે. જે કરોડરજ્જુને સીધી કરવામાં મદદ કરે છે.

ધનુરાસન: આ આસનનો અભ્યાસ કરવાથી તમને કમરના દુખાવામાં રાહત મળે છે. તે પીઠ અને પેટના સ્નાયુઓને મજબૂત બનાવવામાં તેમજ ફ્લેક્સિબલ વધારવામાં મદદ કરે છે. કરોડરજ્જુને સીધી કરવા ઉપરાંત તે સ્ત્રીઓમાં માસિક સ્રાવ સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે.

માર્જરિઆસન: જ્યારે તમે આ આસનનો અભ્યાસ કરો છો, ત્યારે તે તમારા પીઠના સ્નાયુઓ અને સાંધાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે શરીરમાં રક્ત પ્રવાહ વધારવામાં મદદ કરે છે. તેનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરની મુદ્રામાં સુધારો કરવામાં ઘણી મદદ મળે છે.

ગોમુખાસન: ખભાના જકડાઈ જવાથી છુટકારો મેળવવા માટે આ એક ઉત્તમ કસરત છે. આ અદ્ભુત કસરત તમારી કરોડરજ્જુને લંબાવવામાં, ખેંચવામાં, ફ્લેક્સિબવ બનાવવામાં અને મુદ્રા સુધારવામાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)