
પવનમુક્તાસન: પવનમુક્તાસન આંતરડા પર દબાણ લાવીને રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે. તે પાચન સમસ્યાઓ દૂર કરવામાં અને આંતરડાની ગતિ સરળ બનાવવામાં અત્યંત અસરકારક છે. આ આસન પેટના પાચનતંત્રમાં બનતા બિનજરૂરી ગેસને દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ આસન સારા પાચન માટે શ્રેષ્ઠ છે. નબળી પાચનશક્તિથી પીડાતા દર્દીઓને ઘણીવાર પવનમુક્તાસન કરવાની સલાહ આપવામાં આવે છે.

બાલાસન: આ આસન કરતી વખતે વ્યક્તિ ગર્ભમાં ઉછરતા બાળક જેવો દેખાય છે. તે ચેતાને શાંત કરવા ઉપરાંત પેટના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. આ આસન કરવાથી પાચનતંત્ર સુધરે છે અને આંતરડામાંથી સરળતાથી મળ ત્યાગ થાય છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)