
પછી તમારા પગને તમારા પેલ્વિસ એરિયા તરફ લાવો. તમારા જાંઘ અને ઘૂંટણને મેટ તરફ દબાવતા ધીમે-ધીમે શ્વાસ લો અને બહાર કાઢો. પતંગિયાની પાંખોની જેમ તમારા પગ ઉપર અને નીચે ફફડાવવાનું શરૂ કરો. આસન કરતી વખતે તમારી કરોડરજ્જુ સીધી રાખો.

બટરફ્લાય પોઝ અંડાશયની કામગીરીમાં સુધારો કરે છે. કારણ કે તે પ્રજનન પ્રણાલીમાં રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે.

આ આસન લોકોને કમરના દુખાવામાં મદદ કરી શકે છે. કારણ કે તે હેમસ્ટ્રિંગ્સ પર દબાણ લાવ્યા વિના કમરના નીચેના સ્નાયુઓને ખેંચે છે. આનાથી પીઠના સ્નાયુઓ પરના તણાવ અને દબાણમાંથી રાહત મળે છે. બટરફ્લાય પોઝ ગરદન, પીઠ અને માથાના તણાવને દૂર કરે છે અને માથાના દુખાવાની તીવ્રતા ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે ઓક્સિજન મગજ સુધી સરળતાથી પહોંચે છે. વધુમાં આસનો કરતી વખતે નિયમિત શ્વાસ લેવાથી ચિંતા દૂર થાય છે અને શાંત થાય છે.

આ આસન કરવાથી રક્ત પરિભ્રમણ સારું થશે. જે થાક અને સુસ્તી ઘટાડવામાં મદદ કરશે. જે લોકો લાંબા સમય સુધી ઉભા રહે છે અથવા ચાલે છે તેમને આ આસનથી ફાયદો થઈ શકે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)