સૂર્યકુમાર યાદવ સાથે BCCIએ ફોન પર શું વાત કરી હતી? T20 ટીમમાંથી બહાર થયા બાદ સૂર્યાએ પહેલીવાર તોડ્યું મૌન

ભારતને 2026 T20 વર્લ્ડ કપ જીતાડ્યા બાદ કેપ્ટનશીપ ગુમાવનાર અને ટીમમાંથી ડ્રોપ થયેલા સૂર્યકુમાર યાદવે મોટો ખુલાસો કર્યો છે. પસંદગી સમિતિ સાથે ફોન પર થયેલી વાતચીત, ભવિષ્યની યોજનાઓ અને ટીમમાંથી બહાર થવાના દર્દ વિશે સૂર્યાએ આકાશ ચોપરા સાથેની વાતચીતમાં વિગતવાર ખુલાસો કર્યો.

| Updated on: Aug 29, 2026 | 7:25 PM
1 / 5
પોતાની કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ 2026 નો ઐતિહાસિક ખિતાબ જીતાડનાર સૂર્યકુમાર યાદવે ટૂર્નામેન્ટ પછી તરત જ કેપ્ટનશીપ છીનવાઈ જવા અને ટીમમાંથી બહાર ફેંકાઈ જવા પર પોતાનું મૌન તોડ્યું છે. જુલાઈ 2024માં T20 ટીમનું સુકાન સંભાળનાર સૂર્યાના નેતૃત્વમાં ભારતે માત્ર અજેય રહીને શ્રેણીઓ જ નથી જીતી, પરંતુ 2025 એશિયા કપ અને 8 માર્ચ 2026 ના રોજ T20 વર્લ્ડ કપનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો. આટલું શાનદાર પ્રદર્શન હોવા છતાં, પસંદગીકારોએ ખરાબ ફોર્મનું કારણ આગળ ધરીને સૂર્યકુમારને ટીમમાંથી બહાર કરી દીધા અને શ્રેયસ અય્યરને નવા T20 કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા.

પોતાની કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ 2026 નો ઐતિહાસિક ખિતાબ જીતાડનાર સૂર્યકુમાર યાદવે ટૂર્નામેન્ટ પછી તરત જ કેપ્ટનશીપ છીનવાઈ જવા અને ટીમમાંથી બહાર ફેંકાઈ જવા પર પોતાનું મૌન તોડ્યું છે. જુલાઈ 2024માં T20 ટીમનું સુકાન સંભાળનાર સૂર્યાના નેતૃત્વમાં ભારતે માત્ર અજેય રહીને શ્રેણીઓ જ નથી જીતી, પરંતુ 2025 એશિયા કપ અને 8 માર્ચ 2026 ના રોજ T20 વર્લ્ડ કપનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો. આટલું શાનદાર પ્રદર્શન હોવા છતાં, પસંદગીકારોએ ખરાબ ફોર્મનું કારણ આગળ ધરીને સૂર્યકુમારને ટીમમાંથી બહાર કરી દીધા અને શ્રેયસ અય્યરને નવા T20 કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા.

2 / 5
સૂર્યકુમાર યાદવનો મોટો ખુલાસો: પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન સૂર્યકુમાર યાદવે પોતાના દિલનું દર્દ વ્યક્ત કર્યું હતું. સૂર્યાએ જણાવ્યું, "હું લગભગ દોઢ મહિના સુધી ઘરમાં બેસીને વિચારતો રહ્યો કે આખરે આવું કેવી રીતે બની શકે. મને આશા હતી કે હું 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને આગામી T20 વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમની કપ્તાની સંભાળીશ."

સૂર્યકુમાર યાદવનો મોટો ખુલાસો: પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન સૂર્યકુમાર યાદવે પોતાના દિલનું દર્દ વ્યક્ત કર્યું હતું. સૂર્યાએ જણાવ્યું, "હું લગભગ દોઢ મહિના સુધી ઘરમાં બેસીને વિચારતો રહ્યો કે આખરે આવું કેવી રીતે બની શકે. મને આશા હતી કે હું 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને આગામી T20 વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમની કપ્તાની સંભાળીશ."

3 / 5
સૂર્યાએ આગળ જણાવ્યું કે, ટીમ સિલેક્શનના ત્રણ દિવસ પહેલાં જ BCCI ની સિલેક્શન કમિટીએ તેમની સાથે ફોન પર વાત કરી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે ઈંગ્લેન્ડ સિરીઝ માટે તેમના નામની પસંદગી નહીં થાય, કારણ કે હવે ભવિષ્યની નવી ટીમ બનાવવાનો સમય આવી ગયો છે.

સૂર્યાએ આગળ જણાવ્યું કે, ટીમ સિલેક્શનના ત્રણ દિવસ પહેલાં જ BCCI ની સિલેક્શન કમિટીએ તેમની સાથે ફોન પર વાત કરી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે ઈંગ્લેન્ડ સિરીઝ માટે તેમના નામની પસંદગી નહીં થાય, કારણ કે હવે ભવિષ્યની નવી ટીમ બનાવવાનો સમય આવી ગયો છે.

4 / 5
તેમણે ઉમેર્યું, "જ્યારે ટીમમાં મારું નામ નહોતું, ત્યારે હું હસી પડ્યો હતો. મેચ દરમિયાન જ્યારે પણ દબાણની સ્થિતિ આવી, મેં હંમેશાં મારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કર્યો છે. મેં વિચાર્યું પણ નહોતું કે આવું કંઈક થશે. મેં કોઈ પ્રતિક્રિયા (રિએક્શન) ન આપી, કારણ કે તેમાં મારો કોઈ વાંક નહોતો." આવા મુશ્કેલ નિર્ણય છતાં સૂર્યાએ પસંદગીકારોને કહ્યું હતું કે, "જે નિર્ણય લેવાયો છે તે ચોક્કસપણે ટીમની ભલાઈ માટે જ હશે. તમે નિર્ણય લીધો અને મને જણાવી દીધો, મને તેમાં કોઈ વાંધો નથી. હું રમવાનું ચાલુ રાખીશ અને જ્યારે પણ તમને યોગ્ય સમય લાગે, ત્યારે મને ટીમમાં પાછો બોલાવી લેજો."

તેમણે ઉમેર્યું, "જ્યારે ટીમમાં મારું નામ નહોતું, ત્યારે હું હસી પડ્યો હતો. મેચ દરમિયાન જ્યારે પણ દબાણની સ્થિતિ આવી, મેં હંમેશાં મારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કર્યો છે. મેં વિચાર્યું પણ નહોતું કે આવું કંઈક થશે. મેં કોઈ પ્રતિક્રિયા (રિએક્શન) ન આપી, કારણ કે તેમાં મારો કોઈ વાંક નહોતો." આવા મુશ્કેલ નિર્ણય છતાં સૂર્યાએ પસંદગીકારોને કહ્યું હતું કે, "જે નિર્ણય લેવાયો છે તે ચોક્કસપણે ટીમની ભલાઈ માટે જ હશે. તમે નિર્ણય લીધો અને મને જણાવી દીધો, મને તેમાં કોઈ વાંધો નથી. હું રમવાનું ચાલુ રાખીશ અને જ્યારે પણ તમને યોગ્ય સમય લાગે, ત્યારે મને ટીમમાં પાછો બોલાવી લેજો."

5 / 5
ભારતના સૌથી સફળ T20 કેપ્ટનોમાં સ્થાન: સૂર્યકુમાર યાદવનો ઇન્ટરનેશનલ T20 કપ્તાની રેકોર્ડ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ પૈકીનો એક રહ્યો છે. તેમની કપ્તાની હેઠળ ભારતે કુલ 52 T20 મેચો રમી હતી, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 42 મેચોમાં જીત મેળવી હતી અને માત્ર 8 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે તેમનો જીતનો દર (Win Percentage) 80.76% જેટલો શાનદાર રહ્યો હતો. કેપ્ટનશીપ અને ટીમમાંથી અચાનક બહાર થયા છતાં સૂર્યકુમારે પોતાને મળેલી તકો બદલ આભાર માન્યો હતો અને ભવિષ્યમાં ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા ફરી મજબૂત વાપસી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભારતના સૌથી સફળ T20 કેપ્ટનોમાં સ્થાન: સૂર્યકુમાર યાદવનો ઇન્ટરનેશનલ T20 કપ્તાની રેકોર્ડ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ પૈકીનો એક રહ્યો છે. તેમની કપ્તાની હેઠળ ભારતે કુલ 52 T20 મેચો રમી હતી, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 42 મેચોમાં જીત મેળવી હતી અને માત્ર 8 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે તેમનો જીતનો દર (Win Percentage) 80.76% જેટલો શાનદાર રહ્યો હતો. કેપ્ટનશીપ અને ટીમમાંથી અચાનક બહાર થયા છતાં સૂર્યકુમારે પોતાને મળેલી તકો બદલ આભાર માન્યો હતો અને ભવિષ્યમાં ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા ફરી મજબૂત વાપસી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.