Breaking News: ઈરાનનો ઈઝરાયેલ પર હુમલો, પણ મિસાઈલ પર કેમ લખ્યું ‘ભારત’નું નામ? જાણો રહસ્ય

ઈરાને ઈઝરાયેલ પર છોડેલી મિસાઈલ પર "ભારતના લોકોનો આભાર" લખ્યું છે! કાશ્મીરના લોકોના દાનથી લઈને સમુદ્રી રસ્તા પર ભારતીય જહાજોની સુરક્ષા સુધી - જાણો કેમ ભારત અત્યારે ઈરાન માટે ખાસ બની ગયું છે?

| Updated on: Mar 28, 2026 | 8:08 AM
1 / 5
ઈરાને ઈઝરાયેલ અને અમેરિકા સામેના 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4' દરમિયાન એક ચોંકાવનારો કદમ ઉઠાવ્યો છે. ઈરાની એરોસ્પેસ ફોર્સના જવાનો મિસાઈલ લોન્ચ કરતા પહેલા તેના પર વાદળી માર્કરથી "ભારતના લોકોનો આભાર" (Thank you to the people of India) લખતા જોવા મળ્યા હતા. આ ઘટનાના વિઝ્યુઅલ્સ ઈરાની મીડિયા અને મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ દ્વારા શેર કરવામાં આવ્યા છે.

ઈરાને ઈઝરાયેલ અને અમેરિકા સામેના 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4' દરમિયાન એક ચોંકાવનારો કદમ ઉઠાવ્યો છે. ઈરાની એરોસ્પેસ ફોર્સના જવાનો મિસાઈલ લોન્ચ કરતા પહેલા તેના પર વાદળી માર્કરથી "ભારતના લોકોનો આભાર" (Thank you to the people of India) લખતા જોવા મળ્યા હતા. આ ઘટનાના વિઝ્યુઅલ્સ ઈરાની મીડિયા અને મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ દ્વારા શેર કરવામાં આવ્યા છે.

2 / 5
રિપોર્ટ મુજબ, માત્ર ભારત જ નહીં પરંતુ સ્પેન, પાકિસ્તાન અને જર્મની પ્રત્યે પણ ઈરાને આવી જ રીતે આભાર વ્યક્ત કર્યો છે. આ તે દેશો છે જેમને તેહરાન વર્તમાન યુદ્ધની સ્થિતિમાં પોતાની સાથે સહાનુભૂતિ ધરાવતા હોવાનું માને છે. આ એક વ્યૂહાત્મક અને પ્રતીકાત્મક સંદેશ માનવામાં આવી રહ્યો છે.

રિપોર્ટ મુજબ, માત્ર ભારત જ નહીં પરંતુ સ્પેન, પાકિસ્તાન અને જર્મની પ્રત્યે પણ ઈરાને આવી જ રીતે આભાર વ્યક્ત કર્યો છે. આ તે દેશો છે જેમને તેહરાન વર્તમાન યુદ્ધની સ્થિતિમાં પોતાની સાથે સહાનુભૂતિ ધરાવતા હોવાનું માને છે. આ એક વ્યૂહાત્મક અને પ્રતીકાત્મક સંદેશ માનવામાં આવી રહ્યો છે.

3 / 5
ઈરાની ન્યૂઝ નેટવર્ક 'પ્રેસ ટીવી' અનુસાર, આ મિસાઈલ હુમલાની 83મી લહેર હતી. જેમાં અમેરિકા અને ઈઝરાયેલની મુખ્ય સૈન્ય સંપત્તિઓ જેવી કે તેલ ભંડાર સુવિધાઓ, સૈન્ય મથકો અને ઈન્ફોર્મેશન એક્સચેન્જ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાને દાવો કર્યો છે કે આ ઓપરેશનમાં લાંબા અંતરની સચોટ મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરી મોટી તબાહી મચાવવામાં આવી છે.

ઈરાની ન્યૂઝ નેટવર્ક 'પ્રેસ ટીવી' અનુસાર, આ મિસાઈલ હુમલાની 83મી લહેર હતી. જેમાં અમેરિકા અને ઈઝરાયેલની મુખ્ય સૈન્ય સંપત્તિઓ જેવી કે તેલ ભંડાર સુવિધાઓ, સૈન્ય મથકો અને ઈન્ફોર્મેશન એક્સચેન્જ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાને દાવો કર્યો છે કે આ ઓપરેશનમાં લાંબા અંતરની સચોટ મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરી મોટી તબાહી મચાવવામાં આવી છે.

4 / 5
આ આભાર પાછળનું મુખ્ય કારણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે ભારતીય જહાજોને સુરક્ષિત પસાર થવા દેશે, જ્યારે અમેરિકા અને તેના સાથી દેશો પર પ્રતિબંધ યથાવત રહેશે. આ ઉપરાંત, કાશ્મીરમાંથી જે રીતે સામાન્ય લોકોએ ઈરાનના પીડિતો માટે સોનાના દાગીના અને પોતાની બચત (ગલ્લક) દાનમાં આપી છે, તેનાથી ઈરાન ગદગદ થઈ ગયું છે.

આ આભાર પાછળનું મુખ્ય કારણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે ભારતીય જહાજોને સુરક્ષિત પસાર થવા દેશે, જ્યારે અમેરિકા અને તેના સાથી દેશો પર પ્રતિબંધ યથાવત રહેશે. આ ઉપરાંત, કાશ્મીરમાંથી જે રીતે સામાન્ય લોકોએ ઈરાનના પીડિતો માટે સોનાના દાગીના અને પોતાની બચત (ગલ્લક) દાનમાં આપી છે, તેનાથી ઈરાન ગદગદ થઈ ગયું છે.

5 / 5
આ ઘટના ભારત માટે કસોટી સમાન છે. એક તરફ ઈરાન સાથેના ઐતિહાસિક સંબંધો અને માનવીય લાગણીઓ છે, તો બીજી તરફ અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વ્યૂહાત્મક સંબંધો. ભારતે હંમેશા આ સંઘર્ષમાં શાંતિ અને મુત્સદ્દીગીરીનો રસ્તો અપનાવવાની અપીલ કરી છે, પરંતુ ઈરાનનું આ 'મિસાઈલ લવ' વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે.

આ ઘટના ભારત માટે કસોટી સમાન છે. એક તરફ ઈરાન સાથેના ઐતિહાસિક સંબંધો અને માનવીય લાગણીઓ છે, તો બીજી તરફ અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વ્યૂહાત્મક સંબંધો. ભારતે હંમેશા આ સંઘર્ષમાં શાંતિ અને મુત્સદ્દીગીરીનો રસ્તો અપનાવવાની અપીલ કરી છે, પરંતુ ઈરાનનું આ 'મિસાઈલ લવ' વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે.

Follow Us
Loading...
Unable to load recommendations.