
બાબા સિદ્દીકી મુંબઈ કોંગ્રેસમાં લઘુમતી સમુદાયનો અગ્રણી ચહેરો હતો. કોંગ્રેસ-એનસીપી ગઠબંધન દરમિયાન તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રીનું પદ સંભાળી ચુક્યા છે.

એનસીપીમાં સામેલ થતાં પહેલા અંદાજે 48 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા હતા. એટલા માટે કોંગ્રેસ છોડવાનો તેમના નિર્ણયે સૌને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ એનસીપીનો હાથ પકડ્યો હતો. બાબા સિદ્દીકી મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ એથોરિટીના મુંબઈ ડિવિઝનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

દર વર્ષે ઈદ પર બાબા સિદ્દીકીની ઈફતાર પાર્ટી ચર્ચામાં રહેતી હતી. જેમાં ટીવી -ફિલ્મ જગતની સેલિબ્રિટી સામેલ થતી હતી. આ પાર્ટીમાં સલમાન ખાન,શાહરુખ ખાન જેવા સુપરસ્ટારના નામ પણ સામેલ છે. બાબા સિદ્દીકી રાજનીતિમાં સક્રિય રહેવાની સાથે બિલ્ડર તરીકે પણ કામ કર્યું હતું.
Published On - 7:19 am, Sun, 13 October 24