
કમળાની ફરિયાદ : સામાન્ય વજનના બાળકો કરતાં ઓછા વજનવાળા બાળકોને કમળાનું જોખમ વધુ હોય છે. આ બાળકોના શરીર જન્મ સમયે પીળા થઈ જાય છે. કારણ કે તેમાં બિલીરૂબિનનો અભાવ હોય છે. આવા કિસ્સાઓમાં આ બાળકોને ફોટોથેરાપી આપવામાં આવે છે. આ એક પ્રકારની ટ્રીટમેન્ટ છે જેમાં બાળકને ઈન્ક્યુબેટરમાં લાઈટની નીચે સુવડાવવામાં આવે છે અને તેની આંખો ઢાંકી દેવામાં આવે છે. જેથી તેજ પ્રકાશ બાળકની આંખો પર ન પડે. આમાં રાખ્યા બાદ બાળકનું બિલીરૂબિન ચેક કરવામાં આવે છે, નહીં તો બાળકને ઘણા દિવસો સુધી આ મશીનમાં રાખવું પડે છે.

ઈન્ફેક્શનનું જોખમ : સામાન્ય રીતે તમામ નાના બાળકોને ઈન્ફેક્શનનું જોખમ હોય છે, પરંતુ જે બાળકોનું વજન સામાન્ય કરતાં ઓછું હોય છે તેઓની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોવાને કારણે વારંવાર ઈન્ફેક્શન લાગવાનું જોખમ રહેલું છે.

એનિમિયાનું જોખમ : વજનની અછતને કારણે બાળક એનિમિયા એટલે કે લોહીની ઉણપથી પણ પીડાઈ શકે છે. આમાં શરીરમાં આયર્નની ઉણપ થાય છે. એનિમિયા એ ખૂબ જ ગંભીર સ્થિતિ છે. આવા કિસ્સાઓમાં બાળકને લોહી ચઢાવવું પડી શકે છે.

બાળકનું વજન કેવી રીતે જાળવવું : સગર્ભાવસ્થા દરમિયાન માતાએ પોતાની ખાનપાનની આદતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ અલ્ટ્રાસાઉન્ડની મદદથી સમય-સમય પર બાળકના વજનનું નિરીક્ષણ કરવું જોઈએ. જેથી બાળક સ્વસ્થ વજન સાથે જન્મે અને સ્વસ્થ રહે.