
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવ બાળકોને આકર્ષિત કરે છે. અમદાવાદમાં ઝુલતા મિનાર જેવા ઘણા અન્ય જોવાલાયક સ્થળો આવેલા છે. તમે બાળકોને ફરવા માટે સાઇન્સ સિટી પણ લઈ જઈ શકો છો.

ચોમાસા દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનો વિસ્તાર લીલોછમ બની જાય છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે , જેની ઊંચાઈ 182 મીટર છે, જે ગુજરાત રાજ્યના કેવડિયા નજીક આવેલું છે. 2023માં અંદાજે 50 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

જામનગર ગુજરાતનો એક સુંદર દરિયાકાંઠો વિસ્તાર છે, જે આમ તો રોમેન્ટિક સ્થળ તરીકે પણ ઓળખાય છે. અહીં ઘણા એવા સ્થળો આવેલા છે, જ્યાં ચોમાસા દરમિયાન ફરવા માટે બેસ્ટ છે. રણજીત સાંગર ડેમ,બેચલેટ બીચ પર સનસેટ આને સનરાઇસ ને જોવા લોકો ખાસ કરીને આવે છે

ગિરનાર એક ફેમસ પર્યટન સ્થળ છે જે ચોમાસા દરમિયાન વધુ સુંદર બની જાય છે. અહીંનું હવામાન તાજગીથી ભરેલું છે. જો તમે બાળકોને ચોમાસામાં ગિરનાર લઈ જાવ છો તો ભવનાથમાં પણ ફરવા માટે અનેક સ્થળો આવેલા છે.