
પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલું પાવાગઢ મંદિરે પણ દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો.આ સ્થળને ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે.

નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ. જપ, તપ અને ઉત્સવનો પર્વ. માની આરાધનાનો પર્વ. નવરાત્રી દરમિયાન અનેક માઈભક્તો અનુષ્ઠાન કરે છે અને માતાની ભક્તિમાં લીન થઈ છે. આ મંદિર ભરુચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે.

અંબાજી, પાવાગઢ, બહુચરાજી બાદ ભરુચમાં આવેલા આ અંબાજી માતાજીના મંદિરને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.નવરાત્રીમાં ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરે માઈ ભક્તોએ ભીડ હોય છે. આ શક્તિપીઠ જવા માટે તમે બસ કે કાર દ્વારા જઈ શકો છો.