
વડોદરા શહેરમાં આવેલું ધૂંડીરાજ ગણપતિ મંદિર મહારાષ્ટ્રીયન, ગુજરાતી અને રાજસ્થાની આર્કિટેક્ચરના સમનવયથી બનેલું મંદિર છે મંદિરના ગર્ભગૃહમાં શુભકર્તા વિઘ્નહર્તા ધુંડીરાજ ગણપતિ બિરાજમાન છે. આ મંદિર અંદાજે 250 વર્ષ જૂનું છે.

એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર શ્રી સિદ્ધિવિનાયક દેવદર્શન, મહેમદાવાદમાં આવેલું છે.આ મંદિરે દર મંગળવાર અને ચોથના દિવસે દર્શન કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.

દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટના ઢાક મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખુબ સુંદર છે.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે.

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે 20 કિલોમીટર તેમ અમદાવાદથી 62 કિલોમીટર દુર આવેલું છે, (photo : gujarat tourisam)