
સ્મૃતિવન મ્યુઝિયમ શું છે? 2001ના ભૂકંપમાં 12,932 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપથી ગુજરાતના ભુજ વિસ્તારના 890 ગામોને અસર થઈ હતી. ભૂકંપમાં 1,64,000 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ભૂકંપમાં લાખો મકાનો, ઐતિહાસિક ઈમારતો અને મંદિરો નાશ પામ્યા હતા અને કરોડો લોકો માનસિક, ભાવનાત્મક અને શારીરિક રીતે પ્રભાવિત થયા હતા.

સ્મૃતિવન મ્યુઝિયમ બે ભાગમાં વહેંચાયેલું છે, મેમોરિયલ અને મ્યુઝિયમ. સ્મારક અઠવાડિયાના સાતેય દિવસ સવારે 5 થી 11 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. તો હવે જોઈએ તમારે સ્મૃતિવન જવું હોય તો કઈ રીતે પહોચવું. તો જો તમે ટ્રેન દ્વારા જવા માંગો છો તો નજીકનું રેલવે સ્ટેશન ભુજ છે.

તેમજ જો તમે ફ્લાઈટ દ્વારા જવા માંગો છો તો નજીકનું ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદનું એરપોર્ટ છે. અમદાવાદથી તમે બસ,ટ્રેન કે પ્રાઈવેટ કાર દ્વારા સ્મૃતિવન પહોંચી શકો છો. નજીકનું ડોમેસ્ટિક એરપોર્ટ ભુજ એરપોર્ટ છે.