Travel Tips : ગાંધી જયંતીની એક દિવસની રજામાં બાળકોને આ સ્થળોએ લઈ જાવ, યાદગાર પ્રવાસ બની જશે

|

Oct 01, 2024 | 5:53 PM

બાળકો મહાત્મા ગાંધી વિશે પુસ્તકો અને શાળોમાં તો હજારો વાત સાંભળી હશે. તો 2જી ઓકટોબરના ગાંધી જંયતી પર બાળકોને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા આ સ્થળ પર લઈ જવાનો પ્લાન બનાવો. આ ટ્રિપ બાળક માટે ખુબ યાદગાર રહેશે.

1 / 6
પોરબંદરનું નામ આવતાં જ જે સૌથી પહેલું મનમાં આવે છે તે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. તે સુદામા (ભગવાન કૃષ્ણના મિત્ર) નું જન્મસ્થળ પણ છે.

પોરબંદરનું નામ આવતાં જ જે સૌથી પહેલું મનમાં આવે છે તે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. તે સુદામા (ભગવાન કૃષ્ણના મિત્ર) નું જન્મસ્થળ પણ છે.

2 / 6
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરે ગુજરાતમાં થયો હતો અને તેને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. 2જી ઓક્ટોબરના રોજ જાહેર રજા પણ હોય છે. તો તમે પણ તમારા બાળકોને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા આ સ્થળો પર લઈ જવાનો પ્લાન બનાવી શકો છો.

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરે ગુજરાતમાં થયો હતો અને તેને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. 2જી ઓક્ટોબરના રોજ જાહેર રજા પણ હોય છે. તો તમે પણ તમારા બાળકોને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા આ સ્થળો પર લઈ જવાનો પ્લાન બનાવી શકો છો.

3 / 6
ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. પોરબંદરમાં ગાંધીજીનું એક ઘર છે જેને હવે મ્યુઝિયમમાં બદલવામાં આવ્યું છે. અહિ ગાંધીજીના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. આ મ્યુઝિયમ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. પોરબંદરમાં ગાંધીજીનું એક ઘર છે જેને હવે મ્યુઝિયમમાં બદલવામાં આવ્યું છે. અહિ ગાંધીજીના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. આ મ્યુઝિયમ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

4 / 6
  1915માં મહાત્મા ગાંધી જ્યારે સાઉથ આફ્રિકાથી પરત આવ્યા તો તેમણે સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદઘાટન 10મી મે, 1963ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવ્યું હતું.

1915માં મહાત્મા ગાંધી જ્યારે સાઉથ આફ્રિકાથી પરત આવ્યા તો તેમણે સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદઘાટન 10મી મે, 1963ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવ્યું હતું.

5 / 6
રાજકોટમાં આવેલી મોહનદાસ ગાંધી હાઈસ્કુલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો, અને ગ્રેજ્યુએટ થયા હતા. ગાંધીજીના સમયમાં આ સ્કુલનું નામ રાજકોટ હાઈસ્કુલ હતુ. અહિ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગાંધીજી વિદેશ ગયા હતા.

રાજકોટમાં આવેલી મોહનદાસ ગાંધી હાઈસ્કુલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો, અને ગ્રેજ્યુએટ થયા હતા. ગાંધીજીના સમયમાં આ સ્કુલનું નામ રાજકોટ હાઈસ્કુલ હતુ. અહિ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગાંધીજી વિદેશ ગયા હતા.

6 / 6
સુરતથી 34 કિલોમીટર દુર બારડોલીથી સત્યાગ્રહની શરુઆત કરી હતી. સરદાર વલ્લભ ભાઈ પટેલ બાદ મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ શરુ કર્યો હતો. અહિ ગાંધીજી સાથે જોડાયેલી અનેક ઘટનાઓ પણ છે. અહિ સ્વરાજ આશ્રમ મ્યુઝિયમ તેમજ બારટોન લાઈબ્રેરી પણ છે. અહિ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે.

સુરતથી 34 કિલોમીટર દુર બારડોલીથી સત્યાગ્રહની શરુઆત કરી હતી. સરદાર વલ્લભ ભાઈ પટેલ બાદ મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ શરુ કર્યો હતો. અહિ ગાંધીજી સાથે જોડાયેલી અનેક ઘટનાઓ પણ છે. અહિ સ્વરાજ આશ્રમ મ્યુઝિયમ તેમજ બારટોન લાઈબ્રેરી પણ છે. અહિ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે.

Next Photo Gallery