
સિદ્ધુએ લખ્યુ છે કે ઓગસ્ટ બાદથી પાંચ મહિનાથી પણ ઓછા સમયમાં મે મારુ 33 કિલો વજન ઓછુ કર્યુ છે. આ વિલપાવર, દૃઢ સંકલ્પ પ્રોસેસ અને પ્રાણાયામ, વેટ ટ્રેનિંગ અને કલાકોનું વોકિંગ અને સ્ટ્રિક્ટ ડાયેટના કારણે શક્ય બન્યુ છે. અશક્ય કંઈ જ નથી દોસ્તો.

પ્રાણાયામ શું છે? પ્રાણાયામ એક બ્રિધિંગ એક્સરસાઈઝ છે, જે માત્ર શારીરિક સુખાકારી જ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક સંતુલન કરવામાં પણ મદદ કરે છે. દરરોજ પ્રાણાયામ કરવાથી વજન ઘટાડવામાં અને સ્થૂળતા સામે લડવામાં મદદ મળે છે. તે તમારા પાચનને ઉત્તેજિત કરીને તમારા ચયાપચયને વેગ આપે છે.

તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે પ્રાણાયામ એ તમારી વજન ઘટાડવાની યોજનાનો એક ભાગ છે, જો તમે સંપૂર્ણ પરિણામો ઇચ્છતા હોવ, તો તમારે તેની સાથે સંતુલિત આહાર, નિયમિત કસરત અને તંદુરસ્ત જીવનશૈલીને અનુસરવાની જરૂર છે.
Published On - 8:21 pm, Mon, 3 February 25