
ઉત્પાદન ગુણવત્તા: ટીવીના બ્રાન્ડમાં પણ મોટો ફરક પડે છે. કારણ કે જો ટીવી કોઈ લોકલ કંપનીનું હોય તો તેમાં હલકી ગુણવત્તાવાળા ભાગોનો ઉપયોગ થઈ શકે છે. જો ભાગો લોકલ ગુણવત્તાના હોય તો ટીવીનું જીવન પણ ઘટી શકે છે.

ટીવી ક્યારે બદલવાની જરૂર છે?: ટીવીનું જીવન ઘટાડી શકે તેવી બાબતો સમજ્યા પછી હવે તમારે એ પણ સમજવું જોઈએ કે ટીવી ક્યારે બદલવાની જરૂર છે. જો ટીવી સ્ક્રીનમાં વારંવાર સમસ્યા આવી રહી હોય અથવા ટેકનિકલ ખામીને કારણે ટીવીને દર બે થી ત્રણ મહિને રિપેર કરવાની જરૂર હોય તો સમજો કે ટીવી બદલવાનો સમય આવી ગયો છે.(All Image Credit: Google)
Published On - 7:54 am, Thu, 20 March 25