રાજસ્થાન, કેરળ, ગોવા અને અંદમાન જેવા સ્થળોની લોકપ્રિયતામાં સફળતાપૂર્વક યોગદાન આપ્યા બાદ કંપની હવે પ્રવાસીઓને એક અનોખો અને પર્યાવરણ પ્રત્યે લોકોને જાગરુત કરવાનો અનુભવ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે.
કંપનીએ આ વ્યૂહાત્મક પગલું લક્ષદ્વીપને ભારતીય પ્રવાસીઓ માટે પ્રીમિયર હોલિડે ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા માટે લીધું છે. ખાસ કરીને આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ખાસ કરીને ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તે લોકોને દેશના આ અદ્ભુત ટાપુની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરતા પણ જોવા મળ્યા હતા. તેમની અપીલ માલદીવના કેટલાક મંત્રીઓને પરેશાન કરી અને તેઓએ ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા. આ પછી બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો.
તાજ સુહેલીમાં 60 બીચ વિલા અને 50 વોટર વિલા સહિત 110 રૂમ હશે. જ્યારે તાજ કદમતમાં 110 રૂમ હશે, જેમાં 75 બીચ વિલા અને 35 વોટર વિલાનો સમાવેશ થાય છે. કદમત ટાપુ, જેને એલચી દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વિશાળ લગૂન ધરાવતું મૂંગા ટાપુ છે અને દરિયાઈ કાચબાને માળો બાંધવા માટે મહત્વપૂર્ણ દરિયાઈ સંરક્ષિત વિસ્તાર ધરાવે છે.
લક્ષદ્વીપ ઉપરાંત, IHCLએ ઉત્તર પ્રદેશના દુધવામાં સિલેકશન હોટેલ જાગીર મનોર સાથે તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. બગીચાઓ અને જંગલોની વચ્ચે આવેલી આ 20 રૂમની હોટલમાં 1940ના હેરિટેજ રૂમ અને વૈભવી વિલાનો સમાવેશ થાય છે. આ વૈવિધ્યકરણ સમગ્ર દેશમાં વૈવિધ્યસભર અને સમૃદ્ધ હોસ્પિટાલિટી અનુભવો આપવા માટે IHCLના ચાલુ પ્રયાસોનું પ્રતીક છે.
Published On - 2:20 pm, Tue, 9 January 24