Ahmedabad : BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ દ્વારા વિરાટ ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું ભવ્ય આયોજન

અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વિરાટ 'વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ'નું આયોજન કર્યું.

| Updated on: Jan 03, 2026 | 9:13 PM
4 / 7
ગુજરાત સદૈવ જેમના ઋણી છે એવા ભગવાન સ્વામિનારાયણે ગામે-ગામ અહિંસક યજ્ઞો કરાવી ભારતીય સંસ્કૃતિની યજ્ઞીય પરંપરાને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. તેમની ગુણાતીત ગુરુપરંપરાએ પણ આ પવિત્ર પરંપરાને અવિરત રીતે આગળ ધપાવી છે અને વિશ્વશાંતિ તથા આધ્યાત્મિક કલ્યાણનો સંદેશ પ્રસરાવ્યો છે.

ગુજરાત સદૈવ જેમના ઋણી છે એવા ભગવાન સ્વામિનારાયણે ગામે-ગામ અહિંસક યજ્ઞો કરાવી ભારતીય સંસ્કૃતિની યજ્ઞીય પરંપરાને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. તેમની ગુણાતીત ગુરુપરંપરાએ પણ આ પવિત્ર પરંપરાને અવિરત રીતે આગળ ધપાવી છે અને વિશ્વશાંતિ તથા આધ્યાત્મિક કલ્યાણનો સંદેશ પ્રસરાવ્યો છે.

5 / 7
આજથી ૨૧૫ વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિવસે ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ દ્વારા ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે અલૌકિક અને ઐતિહાસિક પ્રસંગની સ્મૃતિરૂપે આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજથી ૨૧૫ વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિવસે ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ દ્વારા ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે અલૌકિક અને ઐતિહાસિક પ્રસંગની સ્મૃતિરૂપે આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.

6 / 7
આ મહાયાગ અંતર્ગત ગુણાતીતાનંદ મંડપમ, ભગતજી મહારાજ મંડપમ, શાસ્ત્રીજી મહારાજ મંડપમ, યોગીજી મહારાજ મંડપમ, પ્રમુખસ્વામી મહારાજ મંડપમ તથા મહંત સ્વામી મહારાજ મંડપમ સહિતના વિવિધ મંડપમો બનાવવામાં આવ્યા હતા. કુલ મળીને આશરે ૪૦૦ યજ્ઞકુંડમાં 12,000 થી વધુ વ્યક્તિઓએ આહુતિ અર્પણ કરી હતી, જેમાં અંદાજે 5 લાખથી વધુ હોમાત્મક દ્રવ્યો અને 50 લાખથી વધુ મંત્રોચ્ચારો સાથે યજ્ઞવિધિ સંપન્ન થઈ હતી.

આ મહાયાગ અંતર્ગત ગુણાતીતાનંદ મંડપમ, ભગતજી મહારાજ મંડપમ, શાસ્ત્રીજી મહારાજ મંડપમ, યોગીજી મહારાજ મંડપમ, પ્રમુખસ્વામી મહારાજ મંડપમ તથા મહંત સ્વામી મહારાજ મંડપમ સહિતના વિવિધ મંડપમો બનાવવામાં આવ્યા હતા. કુલ મળીને આશરે ૪૦૦ યજ્ઞકુંડમાં 12,000 થી વધુ વ્યક્તિઓએ આહુતિ અર્પણ કરી હતી, જેમાં અંદાજે 5 લાખથી વધુ હોમાત્મક દ્રવ્યો અને 50 લાખથી વધુ મંત્રોચ્ચારો સાથે યજ્ઞવિધિ સંપન્ન થઈ હતી.

7 / 7
નૂતન લગ્ન પ્રસંગ, માતૃ-પિતૃ મોક્ષાર્થે, તન-મન-ધન સમૃદ્ધિ, પ્રગટ ગુરુહરિની પ્રસન્નતા, યજ્ઞોપવિત ધારણ તેમજ માનસિક સ્થિરતા જેવા વિવિધ નિમિત્તો અર્થે હજારો યજમાન હરિભક્તો અને ભાવિકોએ આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો.

નૂતન લગ્ન પ્રસંગ, માતૃ-પિતૃ મોક્ષાર્થે, તન-મન-ધન સમૃદ્ધિ, પ્રગટ ગુરુહરિની પ્રસન્નતા, યજ્ઞોપવિત ધારણ તેમજ માનસિક સ્થિરતા જેવા વિવિધ નિમિત્તો અર્થે હજારો યજમાન હરિભક્તો અને ભાવિકોએ આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો.

Published On - 9:12 pm, Sat, 3 January 26