
ધીમે ધીમે સૂત્રધાર શબ્દ સુથારમાં બદલાઈ ગયો અને લાકડાના કામ કરતા સમુદાય માટે અટક તરીકે ઉપયોગમાં લેવા લાગ્યો છે. સુથાર સમુદાય પરંપરાગત રીતે સુથારીકામમાં રોકાયેલા છે.

સુથાર સમુદાય પરંપરાગત રીતે સુથારીકામમાં ફર્નિચર બનાવવું, મંદિર બાંધકામ, લાકડાનું કોતરકામ, દરવાજા - બારીઓ વગેરે બનાવવાનું કામ કરતા હતા.

તેમને વાસ્તુ કાર્યામાં પણ નિષ્ણાંત માનવામાં આવે છે. રાજસ્થાન, ગુજરાત અને મધ્ય ભારતમાં તેમની ખૂબ જ પ્રતિષ્ઠા રહી છે. સુથાર અટક મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

રાજસ્થાન અને ગુજરાતમાં સુથાર સમુદાય એક સંગઠિત જાતિ તરીકે ઓળખાય છે. તેમનું સામાજિક અને સાંસ્કૃતિક યોગદાન નોંધપાત્ર રહ્યું છે.

સુથાર સમુદાયને ક્યારે વિશ્વકર્મા સમુદાયનો ભાગ પણ માનવામાં આવે છે. કારણે કે વિશ્વકર્મીઓને હિન્દુ ધર્મમાં દેવતાઓના શિલ્પી માનવામાં આવે છે.

કેટલાક સુથાર પોતાને વિશ્વકર્માનો અંગ માને છે. તેમજ ભગવાન વિશ્વકર્માને પૂજા કરે છે. તેમજ દેશભરમાં વિશ્વકર્મા જ્યંતીના દિવસે ધામધૂમથી ઉજવણી કરે છે.

વર્તમાન સમયમાં સુથાર સમુદાયના લોકો પણ દેશ -વિદેશમાં વસવાટ કરે છે. તેમજ શિક્ષણ પ્રાપ્ત કરીને જુદા- જુદા ક્ષેત્રમાં કાર્યરત છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 8:28 am, Wed, 16 April 25